આકાશ અંબાણીએ સૌથી પહેલો 5G ફોન તિલકાયત બાવાના લાલજી શ્રી વિશાલકુમાર મહોદયજીને આપ્યો હતો
તસવીર : પી.ટી.આઇ.
નાથદ્વારમાં શ્રીનાથજીના ચરણે મોતીમહલમાંથી ગઈ કાલે ધનતેરસના શુભ પર્વે રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડના ચૅરમૅન આકાશ અંબાણીએ જિયો ટ્રુ- 5G અને જિયો ટ્રુ 5G પાવર્ડ વાઇફાઇ લૉન્ચ કર્યું. આકાશ અંબાણીએ સૌથી પહેલો 5G ફોન તિલકાયત બાવાના લાલજી શ્રી વિશાલકુમાર મહોદયજીને આપ્યો હતો. ભક્તિ અને પરંપરા સાથે આધુનિકતાને પણ શ્રીનાથજી મંદિરે અપનાવી છે. આકાશ અંબાણીએ કહ્યું કે તેમની કંપની લોકોની ભારે અવરજવર ધરાવતા વિસ્તારો જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલવે-સ્ટેશન્સ, બસ-સ્ટૅન્ડ, કમર્શિયલ હબ્સ અને અન્ય વિસ્તારોમાં જિયો ટ્રુ- 5G વાઇફાઇ સર્વિસ શરૂ કરી રહી છે.