૯૦ વર્ષનાં રક્ષિતાબાઈ મહાસતીજીનો આજીવન અનશન પ્રત્યાખ્યાનના ૩૮મા ઉપવાસે મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલા અંકાઈ ગામમાં સંથારો સીઝી ગયો હતો. તેમની પાલખી યાત્રા ગઈ કાલે સાંજે ચાર વાગ્યે અંકાઈ ગામમાં જ નીકળી હતી.
પૂજ્ય રક્ષિતાબાઈ મહાસતીજી
ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ તપોધની પૂજ્ય શ્રી રતિલાલ મહારાજસાહેબના સુશિષ્ય ધ્યાનસાધક ગુરુદેવ પૂજ્ય હસમુખમુનિ મહારાજસાહેબના આજ્ઞાનુવર્તિ પૂજ્ય કિરણબાઈ મહાસતીજીનાં સુશિષ્યા ૯૦ વર્ષનાં રક્ષિતાબાઈ મહાસતીજીનો આજીવન અનશન પ્રત્યાખ્યાનના ૩૮મા ઉપવાસે મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલા અંકાઈ ગામમાં સંથારો સીઝી ગયો હતો. તેમની પાલખી યાત્રા ગઈ કાલે સાંજે ચાર વાગ્યે અંકાઈ ગામમાં જ નીકળી હતી.
આ માહિતી આપતાં થાનગઢના દોઢીવાલા પરિવારનાં રક્ષિતાબાઈ મહાસતીજીના સંસારી નાના ભાઈ પ્રવીણ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રક્ષિતાબાઈ મહાસતીજીએ ૫૧ વર્ષની ઉંમરે લાખો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરીને સંયમમાર્ગ અપનાવી લીધો હતો. તેઓ સંસારમાં હતાં ત્યાં સુધી ક્યારેય કારમાંથી નીચે પગ નથી મૂક્યો, પરંતુ તેમણે ૩૮ વર્ષનું સંયમ જીવન કડક રીતે પાળ્યું હતું. તેમણે ઉંમરને લીધે ૩૮ દિવસ પહેલાં સંથારો લઈ લીધો હતો, જે સંથારો ગઈ કાલે સવારે સીઝી ગયો હતો.