Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્ર સરકારને આપી ચીમકી, કહ્યું MSP પર કાયદો ઘડો નહિતર 26 જાન્યુઆરી દૂર નથી

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્ર સરકારને આપી ચીમકી, કહ્યું MSP પર કાયદો ઘડો નહિતર 26 જાન્યુઆરી દૂર નથી

28 November, 2021 07:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


મુંબઈમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે “સરકાર છેતરપિંડી કરી રહી છે, સાવધાન રહેવાની જરૂર છે. સરકાર હજુ સુધી વાત કરવા લાઇનમાં આવી નથી. આ સરકાર ષડયંત્રકારી, અપ્રમાણિક અને કપટી છે.”

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાકેશ ટિકૈતે પણ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે “કોરોના રોગની જેમ, ત્રણેય કાયદા પણ રોગો હતા, બંનેની ઉત્પત્તિ એક સાથે થઈ હતી. ત્રણ કાયદા ખતમ થઈ ગયા છે, પરંતુ ખેડૂતોની ઘણી બીમારીઓ હજી સમાપ્ત થઈ નથી.”



મહાપંચાયત દરમિયાન રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું હતું કે “ખેડૂતોનું આંદોલન હજી સમાપ્ત થશે નહીં. તેમણે કહ્યું “આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે. આમાં વધુ બલિદાન આપવામાં આવશે. 700 લોકોનું બલિદાન આપવામાં આવ્યું છે. જો તમે અમારી સભાને રોકવાનો પ્રયાસ કરશો તો અમે તમારી સભા અટકાવીશું. મહારાષ્ટ્ર સરકારે શહીદ ખેડૂતોની મદદ કરવી જોઈએ. મહારાષ્ટ્ર સરકારે પણ એસટી ડ્રાઈવરની વાત સાંભળવી જોઈએ. યુનાઈટેડ ફ્રન્ટ હંમેશા દરેકની મદદ માટે ઊભો રહેશે.”


રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમએસપીના સમર્થક હતા અને ખેડૂતોના હિતોની ખાતરી કરવા માટે દેશવ્યાપી કાયદો ઇચ્છતા હતા. તેમણે મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આ મુદ્દે ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો.

રવિવારે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં ટિકૈટે કહ્યું કે “ભારત સરકારે પોતાનું મન સાફ રાખવું જોઈએ. જે ગુંડાગીરી તેઓ કરવા માગે છે, તે ગુંડાગીરી તેમના માટે કામ નહીં કરે. ખેડૂતે એક વર્ષ સુધી ઘણું સહન કર્યું છે. મનને ઠીક કરો અને MSP પર ગેરંટી કાયદો બનાવો, નહીંતર 26 જાન્યુઆરી દૂર નથી. 26 જાન્યુઆરી પણ અહીં છે અને દેશના 4 લાખ ટ્રેક્ટર પણ અહીં છે અને દેશનો ખેડૂત પણ અહીં છે. મનને સાફ કરો અને વાત કરો.”


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 07:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK