Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેનો રાજ્ય સરકારને ખુલ્લો પત્ર: અમારી ધીરજની કસોટી ન કરો

રાજ ઠાકરેનો રાજ્ય સરકારને ખુલ્લો પત્ર: અમારી ધીરજની કસોટી ન કરો

10 May, 2022 06:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને મરાઠી ભાષામાં પત્ર લખ્યો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ શરૂ કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. રાજ ઠાકરેએ ટ્વિટર પર એક પત્ર પોસ્ટ કરીને ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું છે કે તેમણે રાજ્ય સરકારને કહેવું પડશે કે તેમની ધીરજ ખૂટે તેની રાહ ન જુએ.

રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને મરાઠી ભાષામાં પત્ર લખ્યો છે. પત્ર શેર કરતાં તેમણે મરાઠીમાં ટ્વીટ કર્યું કે “કોઈ પણ સત્તાનું તામ્રપત્ર લઈને આવ્યું નથી. શક્તિ આવે છે અને જાય છે. કોઈને વળગી રહેતી નથી. ઉદ્ધવ ઠાકરે તમારી પાસે કાયમ સત્તા રહેવાની નથી.”




મહારાષ્ટ્રના સૈનિકો પર પોલીસની કાર્યવાહી


ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે “4 તારીખે લાઉડસ્પીકર ઉતારવાની અમારી ઝુંબેશ વિરુદ્ધ તમારી પોલીસ અને સરકાર દ્વારા મહારાષ્ટ્રના તમામ સૈનિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

રાજ ઠાકરેએ આગળ લખ્યું છે કે “પોલીસ હજુ પણ સંદીપ દેશપાંડે સહિત તમામ કાર્યકરોને શોધી રહી છે, આ યોગ્ય નથી. બધા મરાઠી ભાઈ-બહેનો આ જોઈ રહ્યા છે. સત્યની તામ્રપત્ર કોઈ લાવ્યા નથી. તમે પણ લાવ્યા નથી. અમારી ધીરજની કસોટી ન કરો.”

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK