પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ આંદોલન બંધ કરવામાં આવે
ફાઇલ તસવીર
MNS નેતા બાલા નંદગાંવકરે માહિતી આપી છે કે MNS પ્રમુખ રાજ ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. રાજ ઠાકરેની સાથે બાલા નંદગાંવકરને પણ ધમકીભર્યો પત્ર મળ્યો છે, આ સંદર્ભે બાલા નંદગાંવકર મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલને મળ્યા હતા.
બાલા નંદગાંવકરે કહ્યું કે આ પત્ર ઉર્દૂ ભાષામાં છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ આંદોલન બંધ કરવામાં આવે. MNS નેતા બાલન નંદગાંવકરે કહ્યું કે જો કોઈ રાજ ઠાકરેના વાળને પણ સ્પર્શ કરશે તો આખું મહારાષ્ટ્ર સળગી જશે.
ADVERTISEMENT
બાલા નંદગાંવકરે રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલને મળીને રાજ ઠાકરેની સુરક્ષા વધારવાની માગ કરી છે. આ સાથે તેમણે રાજ ઠાકરેની સુરક્ષા વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.