તેમનું નવું સંગઠન હાલના તબક્કે બિનરાજકીય હશે એમ તેમણે કહ્યું હતું
સંભાજીરાજે છત્રપતિ
રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિએ ગુરુવારે રાજ્યસભાની આગામી ચૂંટણી સ્વતંત્રપણે લડવાની જાહેરાત કરી હતી. એની સાથે જ તેમણે ‘સ્વરાજ’ નામનું નવું સંગઠન સ્થાપવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજીરાજે છત્રપતિએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યસભાના સંસદસભ્ય તરીકે છ વર્ષના કાર્યકાળ દરમિયાન મેં સમાજ માટે કાર્યો કર્યાં છે. હું ફરી રાજ્યસભાનો સભ્ય બનવાની યોગ્યતા ધરાવું છું અને મને ખાતરી છે કે મને મદદ મળશે. આથી મેં આગામી રાજ્યસભાની ચૂંટણી સ્વતંત્રપણે લડવાનું નક્કી કર્યું છે.’
ADVERTISEMENT
તેમનું નવું સંગઠન હાલના તબક્કે બિનરાજકીય હશે એમ તેમણે કહ્યું હતું.