Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંભાજીરાજે છત્રપતિએ નવું સંગઠન રચ્યું, રાજ્યસભાની ચૂંટણી તેઓ સ્વતંત્રપણે લડશે

સંભાજીરાજે છત્રપતિએ નવું સંગઠન રચ્યું, રાજ્યસભાની ચૂંટણી તેઓ સ્વતંત્રપણે લડશે

13 May, 2022 11:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનું નવું સંગઠન હાલના તબક્કે બિનરાજકીય હશે એમ તેમણે કહ્યું હતું

સંભાજીરાજે છત્રપતિ

સંભાજીરાજે છત્રપતિ


રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિએ ગુરુવારે રાજ્યસભાની આગામી ચૂંટણી સ્વતંત્રપણે લડવાની જાહેરાત કરી હતી. એની સાથે જ તેમણે ‘સ્વરાજ’ નામનું નવું સંગઠન સ્થાપવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજીરાજે છત્રપતિએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યસભાના સંસદસભ્ય તરીકે છ વર્ષના કાર્યકાળ દરમિયાન મેં સમાજ માટે કાર્યો કર્યાં છે. હું ફરી રાજ્યસભાનો સભ્ય બનવાની યોગ્યતા ધરાવું છું અને મને ખાતરી છે કે મને મદદ મળશે. આથી મેં આગામી રાજ્યસભાની ચૂંટણી સ્વતંત્રપણે લડવાનું નક્કી કર્યું છે.’



તેમનું નવું સંગઠન હાલના તબક્કે બિનરાજકીય હશે એમ તેમણે કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK