Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યેરવડા જેલની ક્ષમતા વધારવામાં આવશે

યેરવડા જેલની ક્ષમતા વધારવામાં આવશે

Published : 13 January, 2023 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવેમ્બર ૨૦૨૨માં યેરવડા જેલમાં ૨,૪૪૯ કેદીઓની ક્ષમતા સામે ૬,૮૫૪ કેદીઓને રાખવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિવિધ ગુનામાં દોષી ઠેરવવામાં આવેલા કેદીઓને મોટા ભાગે પુણેની યેરવડા જેલમાં રાખવામાં આવે છે. આ જેલમાં ૨,૨૪૯ કેદી રાખવાની ક્ષમતા છે એની સામે અત્યારે ૬,૮૫૪ કેદીઓને રાખવામાં આવ્યા છે. આથી જેલની ક્ષમતા વધારવાની જરૂર હોવાનું ગઈ કાલે મહારાષ્ટ્રના ઍડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ (જેલ) અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું.

અમિતાભ ગુપ્તાના જણાવ્યા મુજબ નવેમ્બર ૨૦૨૨માં યેરવડા જેલમાં ૨,૪૪૯ કેદીઓની ક્ષમતા સામે ૬,૮૫૪ કેદીઓને રાખવામાં આવ્યા છે. રાજ્યમાં ૯ સેન્ટ્રલ જેલ સહિત કુલ ૬૦ જેલ છે. નવેમ્બર ૨૦૨૨ના રિપોર્ટ મુજબ આ તમામ જેલોની ક્ષમતા ૨૪,૭૨૨ કેદીઓની છે એની સામે ૪૦,૭૧૮ કેદીઓને રાખવામાં આવ્યા છે.



ક્ષમતા કરતાં વધુ કેદીઓ જેલમાં બંધ છે એટલે યેરવડા જેલમાં વધુ બૅરૅક તૈયાર કરવા બાબતનો પ્રસ્તાવ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમાં વધુ નવી જેલો બાંધવાની જરૂર વિશે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકાર આ બાબતે ગંભીર પણ છે, એમ અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK