આપણા અદ્ભુત વારસાનો ઑનલાઇન ખજાનો આ ચૅનલ https://youtu.be/JNyaJCaMFQ4 પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ચૅનલને શૅર કરી લાઇક કરીને સબસ્ક્રાઇબ કરવા પરીખ પરિવાર સાથે જોડાયેલા રહેવા વિનંતી કરવામાં આવી છે.
અવસર
શ્યામ મનોહરલાલજીના ૮૨મા જન્મદિવસે શ્રી પુરુષોત્તમનામસહસ્રમના પાઠની પ્રસ્તુતિ
પરીખ પરિવાર દ્વારા પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી શ્યામ મનોહરલાલજી (કિશનગઢ-પાર્લા)ના ૮૨મા જન્મદિવસે શ્રીમદ્ વલ્લભાચાર્ય વીરચિતમ શ્રી પુરુષોત્તમનામસહસ્રમના પાઠની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે. પરીખ પરીવારની યુ-ટ્યુબ ચૅનલ પરીખ પરિવાર - સ્મરણાંજલિકા પર રવિવાર, ૧૯ જૂને સાંજે ૪ વાગ્યે એની પ્રસ્તુતિ કરવામાં આવશે. આશરે એકાદ કલાકના આ કાર્યક્રમમાં સર્વેને જોડાવાનું પરીખ પરિવારનું આમંત્રણ છે. આપણા અદ્ભુત વારસાનો ઑનલાઇન ખજાનો આ ચૅનલ https://youtu.be/JNyaJCaMFQ4 પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ચૅનલને શૅર કરી લાઇક કરીને સબસ્ક્રાઇબ કરવા પરીખ પરિવાર સાથે જોડાયેલા રહેવા વિનંતી કરવામાં આવી છે.