ગઈ કાલે ફાલ્ગુની પાઠક કાંદિવલીમાં આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં હિંડોળાનાં દર્શન કરવા આવી હતી
ફાલ્ગુની પાઠક શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં
ગઈ કાલે ફાલ્ગુની પાઠક કાંદિવલીમાં આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં હિંડોળાનાં દર્શન કરવા આવી હતી. સૂકા મેવાના હિંડોળાનાં દર્શન કર્યા બાદ તેની અને વૈષ્ણવાચાર્ય ૧૦૮ પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજ વચ્ચે સાતમી ઑગસ્ટે કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં યોજાનારા ‘મિડ-ડે’ના કૃષ્ણ-ઉત્સવ કાર્યક્રમની પણ વિગતવાર ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં ફાલ્ગુનીનાં કૃષ્ણ-ગીતોની રમઝટની સાથે પ્રેક્ષકોને વૈષ્ણવાચાર્ય ૧૦૮ પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયોના નાદની વચ્ચે કાનુડાના જન્મોત્સવની ઝાંખી જોવા મળશે.