Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાપરિનિર્વાણ દિવસે દાદરમાં ઊમટશે મહેરામણ: વડા પ્રધાન એને સંબોધશે

મહાપરિનિર્વાણ દિવસે દાદરમાં ઊમટશે મહેરામણ: વડા પ્રધાન એને સંબોધશે

26 November, 2021 10:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે મહાપરિનિર્વાણ દિવસને જોડવાની જાહેરાત કરી છે. એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ સાધશે.

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)


શહેરમાં કોરોના પછીના પ્રતિબંધો હળવા થઈ ગયા છે. તેથી આ વર્ષે ૬ ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કોરોના પહેલાંના સમય જેવી થશે. દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસે બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ મોટી સંખ્યામાં દાદરમાં આવેલી ચૈતભૂમિની મુલાકાત લે છે. જોકે આ વર્ષે ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે મહાપરિનિર્વાણ દિવસને જોડવાની જાહેરાત કરી છે. એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ સાધશે.
દાદરના શિવાજી પાર્કમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગે રાજ્ય સરકારને આ અંગે માહિતી આપીને જણાવ્યું છે. કેન્દ્ર સરકારે સુ​ધરાઈના વૉર્ડ અધિકારીને સૂચના આપી છે. મહાપરિનિર્વાણ દિવસ અને અમૃત મહોત્સવની સહિયારી ઉજવણી મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર અને રત્નાગિરિમાં યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2021 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK