ઓમિક્રોનને પગલે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં બીએમસીએ થોડા ફેરફાર કર્યા છે. જાણો અહીં તમામ નિયમો.
પ્રતીકાત્મક તસવીર
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron)ને કારણે વિશ્વમાં ફરી હાહાકાર મચ્યો છે. તમામ દેશો અગમચેતીના ભાગરૂપે પગલા લઈ રહ્યાં છે. દેશમાં દરેક રાજ્યો પણ અન્ય દેશોમાંથી પરત ફરતાં મુસાફરો માટે પ્રતિબંધો લગાવી રહ્યાં છે. મહારાષ્ટ્ર (Maharashtra)સરકારે પણ અનેર નિયમો અમલમાં મુક્યા છે. આ ઉપરાંત બીએમસીએ આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
- બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની નવી ઓમિક્રોન માર્ગદર્શિકા મુજબ તેઓ હોમ ક્વોરન્ટાઈન મુસાફરોએ દિવસમાં 5 વખત તેમના સ્વાસ્થ્ય અંગેની જાણ આપવા બોલાવશે.
ADVERTISEMENT
- મુંબઈ એરપોર્ટ પર દરરોજ જોખમ વાળા દેશોમાંથી આવતા તમામ મુસાફરોની યાદી BMC સાથે શેર કરાશે. યાદી આગળ સ્થાનિક વોર્ડ ઓફિસો સાથે શેર કરવામાં આવશે.
- આંતરરાષ્ટ્રીય હોમ ક્વોરન્ટાઈન થયેલા તમામ મુસાફરો તેમના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે દિવસ દરમિયાન પાંચ વખત જાણ કરે છે કે નહીં તેના પર કડક નિરીક્ષણ કરવામાં આવશે. આ સાથે જ તે લોકો તમામ પ્રોટોકોલનું સખ્તપણે પાલન કરે છે કે નહીં તેના પર પણ દેખરેખ રાખવામાં આવશે. જો કોઈ પણ મુસાફર નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
- BMC તેમના ઘરે મેડિકલ ટીમો પણ મોકલશે અને ક્વોરેન્ટાઈનના સાતમા દિવસે તેઓએ બીજી વાર RT-PCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
- ગુરુવારે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રના આદેશ બાદ ફરીથી તેની મુસાફરી માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સુધારાના ભાગરૂપે ઓમિક્રોન ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની સંખ્યાને 12થી ઘટાડીને ત્રણ પર લાવવામાં આવી છે અને સ્થાનિક હવાઈ મુસાફરી પરના નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યા છે.
- દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ 7-દિવસ માટે ફરજિયાત સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાંથી પસાર થવું પડશે.
મહારાષ્ટ્રમાં સુધારેલા ઓર્ડર મુજબ સ્થાનિક હવાઈ મુસાફરી માટે મુસાફરોએ બોર્ડિંગ/આગમન પહેલાં 72 કલાકની અંદર (48 કલાકને બદલે) કરવામાં આવેલ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાતપણે સાથે રાખવો પડશે. અન્ય રાજ્યોમાંથી મુસાફરો (રસીકરણ કરાવ્યું છે કે નહીં) માટે આગમનના 48 કલાકની અંદર નેગેટિવ RT-PCR ટેસ્ટનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.