૨.૫૦ ટકા પૉઝિટિવિટી સાથે ૭૬૨ કેસ નોંધાયા હતા
પ્રતીકાત્મક તસવીર
શહેરમાં ગઈ કાલે ૩૦,૪૪૭ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૨.૫૦ ટકા પૉઝિટિવિટી સાથે ૭૬૨ કેસ નોંધાયા હતા. લાંબા સમય બાદ ગઈ કાલે રિકવર થયેલા દરદીઓની સંખ્યા કરતાં નવા કેસમાં સહેજ વધારો થયો હતો. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં થોડો-થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૧૯ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાં ૧૧ દરદી ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેના અને ૮ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૨૬૬ થયો છે. ગઈ કાલના ૬૮૪ દરદી મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૧૯,૯૪૧ કેસમાંથી ૬,૮૭,૫૫૦ લોકો રિકવર થયા છે. કુલ નોંધાયેલા દરદીમાંથી ૯૫ ટકા રિકવરી યથાવત્ રહી છે. શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો ૧૪,૮૬૦ થયો હતો. કેસ ડબલિંગનો દર વધીને ૭૩૪ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ૧૮ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા સહેજ વધારા સાથે ૮૫ થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૨૮ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૬ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.