Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટ પર હવે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧૯૭૫ રૂપિયા જ ચૂકવવા પડશે

મુંબઈ ઍરપોર્ટ પર હવે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧૯૭૫ રૂપિયા જ ચૂકવવા પડશે

16 December, 2021 01:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ માટે પહેલાં ૪૫૦૦ રૂપિયા આપવા પડતા હતા અને ત્યાર બાદ ૩૯૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા

ફાઈલ તસવીર RT-PCR Test

ફાઈલ તસવીર


મુંબઈ ઍરપોર્ટ પર બહારગામથી આવતા પ્રવાસીઓ જેમની પાસે છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ (નેગેટિવ) કરાવ્યાનું સર્ટિફિકેટ ન હોય તેમણે ઍરપોર્ટ પર ફરજિયાત એ ટેસ્ટ કરાવવી પડતી હતી. એ માટે પહેલાં ૪૫૦૦ રૂપિયા આપવા પડતા હતા અને ત્યાર બાદ ૩૯૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે આ રકમ પણ બહુ જ વધારે હોવાની સતત ફરિયાદો થઈ રહી હતી. વળી સરકારી હૉસ્પિટલો કે પછી પ્રાઇવેટ લૅબમાં પણ આટલી મોંઘી ફી લેવાતી ન હોવાની બૂમ ઊઠી હતી. એથી આખરે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ બાબતે વિનંતી કરતો પત્ર લખ્યો હતો અને ત્યાર બાદ હવે મુંબઈ ઍરપોર્ટ પર મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ) દ્વારા લેવાતી એ ફી પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ઍરપોર્ટ પર હવે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧૯૭૫ રૂપિયા જ લઈ શકાશે. 
આ બાબતે પ્રવાસીઓ તરફથી ફરિયાદો મળતાં રાજ્ય સરકારે એમઆઇએએલને એ ફી ઘટાડવા કહ્યું હતું, પણ એમઆઇએએલ ગણકાર્યું નહોતું. એ પછી રાજ્યના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. પ્રદીપ વ્યાસે આ બાબતે કેન્દ્ર સરકારને એમઆઇએએલ દ્વારા લેવાતી આ મોંઘી ફી બાબતે રજૂઆત કરી હતી. એ પછી આઇઆરએસના ડૉ. સુધાકર શિંદેએ આ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરીને તેમનો અહેવાલ કેન્દ્ર સરકારને આપતાં કેન્દ્ર સરકારે મંગળવારે એ ફી ઘટાડી નિયંત્રિત કરીને ૧૯૭૫ રૂપિયા નક્કી કરી હતી. હવે એમઆઇએએલ આરટી-પીસીઆર ટેસ્ટ માટે એના કરતાં વધુ ફી વસૂલી નહીં શકે.   


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2021 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK