Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જ્યોતિરાદિત્ય જેવું પાત્ર મહા વિકાસ આઘાડીમાં નથીઃ અજિત પવાર

જ્યોતિરાદિત્ય જેવું પાત્ર મહા વિકાસ આઘાડીમાં નથીઃ અજિત પવાર

14 March, 2020 08:19 AM IST | Mumbai

જ્યોતિરાદિત્ય જેવું પાત્ર મહા વિકાસ આઘાડીમાં નથીઃ અજિત પવાર

અજિત પવાર

અજિત પવાર


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ‘રાજ્યની શાસનકર્તા મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં ક્યાંય જ્યોતિરાદિત્ય સિંધિયા જેવું પાત્ર નથી. બીજેપીએ એમના સભ્યો પર ધ્યાન આપવાની જરૂર છે.’
નાણાં મંત્રાલયનો પણ અખત્યાર સંભાળતા અજિત પવારે બજેટની માગણીઓ પરની ચર્ચાનો ઉત્તર આપતી વેળા ગુરુવારે બીજેપીના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સુધીર મુનગંટીવારની ટિપ્પણોનો જવાબ આપ્યો હતો. સુધીર મુનગંટીવારે ગુરુવારે જણાવ્યું હતું કે ‘અમે શિવસેનાને દગો દીધો હતો. એ અમારી ભૂલ અમે ક્યારેક સુધારી લઈશું. મહા આઘાડીમાં ક્યાંક કોઈ જ્યોતિરાદિત્ય સિંધિયા પાકશે.’

અજિત પવારે જણાવ્યું હતું કે ‘ભૂલો માફ ન કરી શકાય. અમારામાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવું કોઈ પાત્ર નથી. ઉલટું બીજેપીએ એમના વિધાનસભ્યો પર ધ્યાન આપવું જરૂરી છે. હાલ ગૃહમાં બીજેપીના જે સભ્યો હાજર નથી, એમના સગડ મેળવો. તમે મારી વાત કરતા હો તો મેં જે કર્યું એ ખુલ્લેઆમ કર્યું હતું. હું સીમાંકન પાર કરીને ગયો અને પાછો પણ આવી ગયો. હવે હું મારા સ્થાન પર બરાબર ગોઠવાયેલો છું.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2020 08:19 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK