Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમીર વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ નોંધાવ્યો કેસ, આ એક્ટની કલમો પણ લગાવી

સમીર વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ નોંધાવ્યો કેસ, આ એક્ટની કલમો પણ લગાવી

15 August, 2022 05:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના સામાજિક ન્યાય વિભાગની મુંબઈ જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ તરફથી `ક્લીન ચિટ` મળ્યા બાદ વાનખેડેએ રવિવારે આ ફરિયાદ નોંધાવી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ડિવિઝનના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક વિરુદ્ધ માનહાનિની ​​ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદના આધારે શહેર પોલીસે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા મલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં આઈપીસીની વિવિધ કલમો સાથે એસસી-એસટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

સમીર વાનખેડેએ ક્યારે અને ક્યાં કેસ દાખલ કર્યો?



મહારાષ્ટ્રના સામાજિક ન્યાય વિભાગની મુંબઈ જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ તરફથી `ક્લીન ચિટ` મળ્યા બાદ વાનખેડેએ રવિવારે આ ફરિયાદ નોંધાવી છે. સમિતિએ સરકારી નોકરી મેળવવા માટે વાનખેડે દ્વારા નકલી જાતિ પ્રમાણપત્રો રજૂ કરવાના આરોપોની તપાસ કરી હતી. મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ સરકારી નોકરી મેળવવા માટે નકલી જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.


અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, "સમીર વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે હાલ મની લોન્ડરિંગના કથિત કેસમાં જેલમાં છે.” અધિકારીની ફરિયાદ પર, મલિક વિરુદ્ધ માનહાનિ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

શું સમીર વાનખેડે પર નવાબ મલિકના આરોપો સાચા સાબિત થયા?


જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિએ શુક્રવારે પોતાના આદેશમાં કહ્યું હતું કે, “ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી વાનખેડે જન્મથી મુસ્લિમ નહોતા. તે સાબિત થયું છે કે તે મહાર જાતિના છે, જે અનુસૂચિત જાતિ (SC) શ્રેણીમાં આવે છે." સમિતિનો આદેશ મળ્યા પછી, વાનખેડે પોલીસ સ્ટેશન ગયા અને મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે, એનસીપી નેતા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 500 (બદનક્ષી માટેની સજા), 501 (બદનક્ષી સામગ્રી છાપવી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. "ગોરેગાંવના ડિવિઝનલ એસીપી (સહાયક પોલીસ કમિશનર) આ મામલાની તપાસ કરશે.” તેમ અધિકારીએ ઉમેર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2022 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK