Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખારઘરના મારવાડી જ્વેલરને બંદૂકની અણીએ લૂંટી લેવાયો

ખારઘરના મારવાડી જ્વેલરને બંદૂકની અણીએ લૂંટી લેવાયો

Published : 30 July, 2024 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ લૂંટારા હેલ્મેટ અને રેઇનકોટ પહેરીને દુકાનમાં આવ્યા અને હવામાં ફાયર કરીને ૧૨ લાખના દાગીના લઈને ભાગી ગયા

જ્વેલરને બંદૂકની અણીએ લૂંટી લેવાયો

જ્વેલરને બંદૂકની અણીએ લૂંટી લેવાયો


નવી મુંબઈના ખારઘરમાં એક મારવાડી જ્વેલરને બંદૂકની ધાક દાખવી લૂંટી લેવાયો છે. લૂંટની આ ઘટના દુકાનમાં લગાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કૅપ્ચર થઈ છે. ખારઘર પોલીસે આ સંદર્ભે લૂ્ંટનો ગુનો નોંધી લૂંટારાઓને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યાં છે.


ખારઘરના સેક્ટર ૩૦માં આવેલી બી. એમ. જ્વેલર્સની લૂંટની આ ઘટના વિશે માહિતી આપતાં ખારઘર પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માલિક અને તેમના ​પરિવારના બીજા બે સભ્યો દુકાનમાં હતા ત્યારે રવિવારે રાતે ૧૦ વાગ્યે ૩ લૂંટારાઓ હેલ્મેટ પહેરીને પ્રવેશ્યા હતા. તેમણે ઓળખ છતી ન થાય એ માટે હેલ્મેટ અને રેઇનકોટ પહેર્યો હતો. તેમની પાસે ગન હતી. તેમણે એ ગનથી દુકાનમાં હાજર માલિકને ધમકાવ્યો હતો અને બે ગોળી હવામાં ફાયર કરી હતી જે દુકાનની છતમાં લાગી હતી. એ પછી લૂંટારા દુકાનમાંથી ૧૧.૮૦ લાખની કિંમતના દાગીના લૂંટીને બાઇક પર નાસી ગયા હતા. તેઓ ભાગી રહ્યા હતા ત્યારે તેમને રોકવા પાછળથી લોકો દ્વારા હળવો પથ્થરમારો થયો હતો છતાં તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. અમે આ સંદર્ભે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમ બનાવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK