મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારની મદદ સાથે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે, પણ રાજ્યના ધનિકોએ પણ તેમના લોકોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવતાં શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતું કે મુંબઈના ધનાઢ્ય લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ.
સીએમ ઉદ્ધવ ઠાકરેને ટાંકતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરશે, પણ મહારાષ્ટ્રે જે લોકોને ઘણું આપ્યું છે તેમની પણ રાજ્ય પ્રત્યે જવાબદારી છે. રાજ્યને ઘણી મદદની જરૂર છે. મુંબઈમાં વિશ્વના કેટલાક અતિધનાઢ્ય લોકો વસે છે, તેમણે મદદ કરવી જોઈએ. મુંબઈના ૧૧ જિલ્લાઓ અત્યારે પૂરનો સામનો કરી રહ્યા છે. આ પૂરને કારણે લાખો લોકો બેઘર બન્યા છે અને ઘણાએ જીવ ગુમાવ્યા છે. અસરગ્રસ્તોના પરિવારો આઘાતમાં સરી પડ્યા છે. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારની મદદ સાથે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે, પણ રાજ્યના ધનિકોએ પણ તેમના લોકોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
રાઉતે એમ પણ જણાવ્યું હતું કે મુંબઈમાં વસતા સંપન્ન લોકોએ મહાડ, સાતારા, સાંગલી અને કોલ્હાપુરમાં નાશ પામેલાં ગામોનું પુનઃનિર્માણ કરવામાં સરકારને મદદ કરવી જોઈએ.