Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૂરગ્રસ્તોને મુંબઈના ધનકુબેરોએ મદદ કરવી જોઈએ : સંજય રાઉત

પૂરગ્રસ્તોને મુંબઈના ધનકુબેરોએ મદદ કરવી જોઈએ : સંજય રાઉત

27 July, 2021 10:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારની મદદ સાથે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે, પણ રાજ્યના ધનિકોએ પણ તેમના લોકોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

સંજય રાઉત

સંજય રાઉત


મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવતાં શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતું કે મુંબઈના ધનાઢ્ય લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ.
સીએમ ઉદ્ધવ ઠાકરેને ટાંકતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરશે, પણ મહારાષ્ટ્રે જે લોકોને ઘણું આપ્યું છે તેમની પણ રાજ્ય પ્રત્યે જવાબદારી છે. રાજ્યને ઘણી મદદની જરૂર છે. મુંબઈમાં વિશ્વના કેટલાક અતિધનાઢ્ય લોકો વસે છે, તેમણે મદદ કરવી જોઈએ. મુંબઈના ૧૧ જિલ્લાઓ અત્યારે પૂરનો સામનો કરી રહ્યા છે. આ પૂરને કારણે લાખો લોકો બેઘર બન્યા છે અને ઘણાએ જીવ ગુમાવ્યા છે. અસરગ્રસ્તોના પરિવારો આઘાતમાં સરી પડ્યા છે. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારની મદદ સાથે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે, પણ રાજ્યના ધનિકોએ પણ તેમના લોકોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
રાઉતે એમ પણ જણાવ્યું હતું કે મુંબઈમાં વસતા સંપન્ન લોકોએ મહાડ, સાતારા, સાંગલી અને કોલ્હાપુરમાં નાશ પામેલાં ગામોનું પુનઃનિર્માણ કરવામાં સરકારને મદદ કરવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK