પોલીસ દ્વારા જાહેર એક ટ્રાફિક ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે અંગારકી સંકષ્ટ ચતુર્થીને કારણે સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહેશે અને આથી સિદ્ધિવિનાયક મંદિર નજીકના રસ્તા પર આવાગમન પ્રભાવિત થઈ શકે છે.
Traffic Update
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai) ટ્રાફિક (Traffic) પોલીસે શુક્રવારે જ આ એડવાઈઝરી આદેશ જાહેર કરી દીધો હતો જે 10 જાન્યુઆરીના રોજ પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિરની (Siddhivinayak Temple) આસપાસના કેટલાક રસ્તાઓ પર આવાગમન માટે પ્રતિબંધ રહેશે.
પોલીસ દ્વારા જાહેર એક ટ્રાફિક ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે અંગારકી સંકષ્ટ ચતુર્થીને કારણે સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહેશે અને આથી સિદ્ધિવિનાયક મંદિર નજીકના રસ્તા પર આવાગમન પ્રભાવિત થઈ શકે છે. આથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે આદેશ આપવો જરૂરી છે.
ADVERTISEMENT
રાજ તિલક રૌશન, ડીસીપી, ટ્રાફિક, મુંબઈ દ્વારા જાહેર સૂચનામાં કહેવાયું છે, જનતા માટે જોખમ, મુશ્કેલીઓ અને અસુવિધાએ અટકાવવા માટે નિમ્નલિખિત માર્ગો પર આવાગમન પ્રભાવિત થશે-
- એસ. વીર સાવરકર રોડ.
- એસ.કે. બોલે રોડ.
- ગોખલે રોડ દક્ષિણ અને ઉત્તર તરફનો છે.
- કાકાસાહેબ ગાડગીલ માર્ગ.
- સયાણી રોડ.
- અપ્પાસાહેબ મરાઠે માર્ગ.
ઉપરોક્ત રસ્તા પર આવાગમનના દબાણને ઘટાડવા 10 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી અસ્થાયી રીતે આવાગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 24.00 વાગ્યા સુધી. ટ્રાફિક નૉટિફિકેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જરૂરી પ્રતિબંધ વધારી શકાય છે.
આ પણ વાંચો : આજે વાનખેડેમાં મૅચ હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન
બંધ કરવામાં આવનારા રસ્તાઓ
-એસકે રોડ પર દરેક પ્રકારના વાહનોને નો એન્ટ્રી. ગોખલે રોડથી બોલે રોડ સુધી.
-ગોખલે રોડથી દત્તા રાઉલ રોડ અને એનએણ કાલે રોડ પર દરેક પ્રકારના વાહનોને નો એન્ટ્રી.
-આગર બજાર જંક્શનથી એસકે બોલે રોડ પર પણ દરેક પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ.
-એસ. કે. બોલે રોડ પર સિદ્ધિવિનાયક જંક્શન પરથી જ પ્રવેશ આપવામાં આવશે.
-લેનિનગ્રાદ જંક્શનથી શંકર ઘાણેકર રોડ પર પણ દરેક પ્રકારના વાહનો માટે નો એન્ટ્રી રહેશે.