Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફાયર-ફાઇટિંગને કોઈ ગંભીરતાથી નથી લેતું

ફાયર-ફાઇટિંગને કોઈ ગંભીરતાથી નથી લેતું

23 January, 2022 12:54 PM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

શહેરમાં આગ લાગવાની ઘટનાનું પુનરાવર્તન થવા છતાં મુંબઈ ફાયર બ્રિગેડ અને હાઇરાઇઝના રહેવાસીઓ નિશ્ચિંત : ફાયર-ઑડિટિંગને રહેવાસીઓ ગંભીરતાથી નથી લઈ રહ્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈનાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં મુંબઈ ફાયર બ્રિગેડ કે પછી ટાવરના રહેવાસીઓ ફાયર-ઑડિટિંગને ગંભીરતાથી લઈ રહ્યા નથી. ૮ નવેમ્બરથી ૮ જાન્યુઆરી સુધીમાં મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ૨૨૩ બિલ્ડિંગોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી માત્ર ૨૩ બિલ્ડિંગો જ નિયમોનું પાલન કરી રહ્યાં હતાં. ૨૦૨૧ની ૨૨ ઑક્ટોબરે કરી રોડ પર આવેલી ૬૦ માળની વન અવિઘ્ન પાર્કમાં આગ લાગી હતી જેમાં શરૂઆતમાં ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી. પરિણામે ૧૯મા માળે લાગેલી આગને બુઝાવવામાં ફાયર-ઑફિસરોને મુશ્કેલી થઈ હતી. અન્ય એક ઘટનામાં કાંદિવલી-વેસ્ટમાં આવેલા હંસા હેરિટેજ બિલ્ડિંગના ૧૪મા માળે પાંચમી નવેમ્બરે આગ લાગી હતી, જેમાં બે સિનિયર સિટિઝન મૃત્યુ પામ્યાં હતાં. અહીં પણ ફાયર-ફાઇટિંગ સિસ્ટમ ચાલતી નહોતી. 
નિયમ મુજબ દરેક હાઉસિંગ સોસાયટીએ દર છ મહિને ફાયર-ઑડિટ કરાવવું ફરજિયાત છે. જોકે મુંબઈ ફાયર બ્રિગેડે આ મામલે ૧૩૩ બિલ્ડિંગોને નોટિસ આપી છે. અવિઘ્ન પાર્કની ઘટના બાદ સ્ટૅન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ જાન્યુઆરી ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી મૉલ, સ્કૂલ, હૉસ્પિટલ સહિત કુલ ૧૫૨૬ બિલ્ડિંગોમાં ફાયર-સેફ્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ૩૨૭ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી, જે પૈકી ૭૮ ઇમારતોએ નિયમનું પાલન કર્યું છે. ૧૦૯માં કાર્યવાહી ચાલુ છે તો ત્રણ ૩ બિલ્ડિગ સામે કાર્યવાહી કરવામાં આવી છે.  


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2022 12:54 PM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK