ગણેશ વિસર્જનને લઈ મુંબઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
ગણેશ વિસર્જનને લઈ મુંબઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ હાઇ એલર્ટ પર છે અને રવિવારે ગણેશ મૂર્તિઓના વિસર્જનના 10 માં અને છેલ્લા દિવસ માટે શહેરભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને આતંકવાદીઓની તાજેતરની ધરપકડની પગલે પોલીસ વધારે સક્રિય બની છે.
મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડીએ શુક્રવારે દિલ્હી પોલીસ દ્વારા એક કથિત આતંકવાદી કાવતરાના સંબંધમાં મુંબઈના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. દસ દિવસનો ગણેશ ઉત્સવ રવિવારે સમાપ્ત થશે. કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ વર્ષે ઉજવણીઓ ઓછી થઈ છે. વિસર્જનના દિવસ પર સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસના પ્રવક્તા એસ.ચૈતન્યએ શનિવારે જણાવ્યું હતું કે, તોડફોડ વિરોધી પગલાં લેવામાં આવી રહ્યા છે અને મહત્વપૂર્ણ તેમજ મોટા સ્થાપનોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ ઉપરાંત નિમજ્જન પોઇન્ટ પર સુરક્ષા કર્મચારીઓની ભારે તૈનાતી રહેશે.
તેમણે ઉમેર્યું કે, ક્રેન, તરવૈયા/લાઇફ ગાર્ડ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો કોઇપણ સંજોગોને સંભાળવા માટે ગોઠવવામાં આવશે. ડીસીપીએ જણાવ્યું હતું કે સ્થાનિક હથિયારો અને અન્ય શાખાઓમાંથી 100 જેટલા વધારાના અધિકારીઓ અને 1,500 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ની ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ, CRPFની એક કંપની, 500 હોમગાર્ડ અને બહારના એકમોના 275 કોન્સ્ટેબલ શહેરમાં તૈનાત રહેશે.
પોલીસ જાણીતા ગુનેગારો પર પણ નજર રાખી રહી છે અને હોટલ, લોજ, મહત્વપૂર્ણ સ્થાપનો અને સંવેદનશીલ સ્થળો પર દેખરેખ વધારી છે. અધિકારીઓએ ગણેશ મંડળો, શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ અને અન્ય હિતધારકો સાથે પણ બેઠક યોજી હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે બે પાકિસ્તાન પ્રશિક્ષિત આતંકવાદીઓ સહિત છ લોકોની ધરપકડ સાથે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તેમાંથી એક મુંબઈના ધારાવીનો રહેવાસી હતો, પોલીસે દાવો કર્યો હતો.