Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમીર વાનખેડે સામેના આરોપોની તપાસ માટે મુંબઈ પોલીસે કરી ACP-સ્તરના અધિકારીની નિમણૂક

સમીર વાનખેડે સામેના આરોપોની તપાસ માટે મુંબઈ પોલીસે કરી ACP-સ્તરના અધિકારીની નિમણૂક

27 October, 2021 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જોકે, મુંબઈ પોલીસે વાનખેડે સામે કોઈ કેસ નોંધ્યો નથી.

સમીર વાનખેડે. ફાઇલ તસવીર

સમીર વાનખેડે. ફાઇલ તસવીર


મુંબઈ પોલીસે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ માટે ACP-સ્તરના અધિકારી મિલિંદ ખેતલેની નિમણૂક કરી છે, એમ બુધવારે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ખેતલે દ્વારા વાનખેડે સામે મળેલી તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈના ચાર પોલીસ સ્ટેશનોને અત્યાર સુધીમાં આવી ફરિયાદો મળી છે.



જોકે, મુંબઈ પોલીસે વાનખેડે સામે કોઈ કેસ નોંધ્યો નથી.


કિરણ ગોસાવીના અંગત અંગરક્ષક અને મુંબઈ ક્રૂઝ શિપ દરોડાના સાક્ષી પ્રભાકર સેલે આરોપ મૂક્યો હતો કે વાનખેડે, ગોસાવી અને અન્ય કેટલાક NCB અધિકારીઓએ આર્યન ખાનને છોડાવવા માટે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે વાનખેડે વિરુદ્ધ કઈ ફરિયાદો મળી છે તે સવિસ્તાર જણાવ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK