Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: કાંદિવલીમાં બે બાઈક ચાલકોએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, એકનું મોત, ત્રણ ઘાયલ

Mumbai: કાંદિવલીમાં બે બાઈક ચાલકોએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, એકનું મોત, ત્રણ ઘાયલ

01 October, 2022 11:33 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈની સડકો પર ફાયરિંગના મામલામાં ડીસીપી ઠાકુરે કહ્યું કે બંને આરોપીઓએ કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)ના કાંદિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે બાઇક પર આવેલા બે બદમાશોએ રસ્તા પર ઊભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. 

આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ફાયરિંગ બાદ તમામ બદમાશો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બાબતે મુંબઈ પોલીસના ડીસીપી ઠાકુરે જણાવ્યું કે બંને આરોપીઓએ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK