Mumbai News: નેરુલથી બેલાપુર-ખારકોપર ચાલશે 8 લોકલ સેવાઓ
મુંબઇ લોકલ (ફાઇલ ફોટો)
નેરુલથી બેલાપુર-ખારકોપર માર્ગ પર મધ્ય રેલવે ઉપનગરીય સેવાઓની શરૂઆત કરવા જઇ રહી છે. રેલવે કુલ 8 ઉપનગરી સેવાઓ ચલાવશે. જેમાં પ્રત્યેક 4 નેરુલ અને ખારકોપર તથા બેલાપુર તેમજ ખારકોપર વચ્ચે થશે.
મળતી માહિતી પ્રમાણે, લોકલ ટ્રેન સવારે 8 વાગીને 45 મિનિટે નેરુલથી નીકળશે અને 9 વાગીને 5 મિનિટે ખારકોપર પહોંચશે. આ રીતે, ખાર કોપરથી 9 વાગીને 15 મિનિટે નીકળશે અને 9 વાગીને 35 મિનિટે નેરુલ પહોંચશે. નેરુલથી 17.45 વાગ્યે નીકળશે અને 18.06 વાગ્યે ખારકોપર પહોંચશે. 18.15, વાગ્યે ખારકોપરથી નીકળશે અને 18.35 વાગ્યે નેરુલ પહોંચશે.
ADVERTISEMENT
09.50 વાગ્યે પહોંચશે ખારકોપર
09.32 વાગ્યે બેલાપુરથી નીકળશે અને 09.50 વાગ્યે ખારકોપર પહોંચશે. 10 વાગ્યે ખારકોપરથી નીકળશે અને 10.18 વાગ્યે બદલાપુર પહોંચશે. 18.32 વાગ્યે બેલાપુરથી નીકળશે અને 18.50 વાગ્યે ખારકોપર પહોંચશે. 19 વાગ્યે ખારકોપરથી નીકળશે અને 19.18 વાગ્યે બેલાપુર પહોંચશે.
1580 થશે મધ્ય રેલવેમાં કુલ સેવાઓ
વર્તમાનમાં મધ્ય રેલ દરરોજ મેનલાઇન, હાર્બર લાઇન અને ટ્રાન્સહાર્બર લાઇન પર 1572 ઉપનગગરીય સેવાઓ ચલાવે છે. ચોથા કૉરિડોર એટલે કે નેરુલ/ બેલાપુર-ખારકોપર લાઇન પર 8 ઉપનગરીય સેવાઓ જોડવાની સાથે સાથે મધ્ય રેલવેમાં કુલ સેવાઓ વધારીને 1580 થઇ જશે.