Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જળાશયો છલકાઈ જતાં પાલિકાએ પાણીકાપ રદ કર્યો

જળાશયો છલકાઈ જતાં પાલિકાએ પાણીકાપ રદ કર્યો

29 August, 2020 10:29 AM IST | Mumbai
Mumbai correspondent

જળાશયો છલકાઈ જતાં પાલિકાએ પાણીકાપ રદ કર્યો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોના ઉપરવાસમાં સારો વરસાદ પડતાં પાણીની સપાટીમાં વધારો થયો છે. ગઈ કાલે સવારે ૬ વાગ્યે કરાયેલી ગણતરી મુજબ બધાં જળાશયોનો પાણીપુરવઠો ૯૫.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે એથી પાલિકાએ પાંચમી ઑગસ્ટથી લાગુ કરેલો પાણીકાપ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. એ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ થાણે, ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત ગામમાં પણ પાણીપુરવઠો નિયમિત સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે એમ મુંબઈ મહાનગહરપાલિકાના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.

આ વર્ષે જૂન અને જુલાઈમાં તળાવ ક્ષેત્રોમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી પાણીપુરવઠો માત્ર ૩૪ ટકા જ બચ્યો હતો એથી મુંબઈ મહાનગરપાલિકાએ પાંચમી ઑગસ્ટથી ૨૦ ટકા પાણીકાપ લાગુ કર્યો હતો. એ પછી ઉપરવાસમાં સારો વરસાદ પડતાં ૨૧ ઑગસ્ટથી ૨૦ ટકા પાણીકાપ ઘટાડીને ૧૦ ટકા કર્યો હતો. એ પછી પણ ઉપરવાસમાં સારો વરસાદ થતાં ગઈ કાલે સવારે ૭ જળાશયોમાં કુલ ૧૩,૭૭,૩૦ મિલ્યન લિટર એટલે કે ૯૫.૧૯ ટકા પાણીપુરવઠો હોવાનું નોંધાયું હતું. આજે ૨૯ ઑગસ્ટથી એ ૧૦ ટકાનો પાણીકાપ પાછો ખેંચી લેવાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2020 10:29 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK