મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે ભાજપ આ મામલે જે કહી રહી છે તેને કહેવા દો, તેમને લાગે છે કે બધી ભૂલ શિવસેનાની છે અને તે પોતે સાફ છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઇમાં વરસાદની સાથે જ અકસ્માતનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. બુધવારે મોડી રાતે મુંબઇમાં આવેલા વરસાદને કારણે ચાર માળની બિલ્ડિંગ ધસી પડી જેમાં 11 લોકોના નિધન થઈ ગયા. આ અકસ્માત મુંબઇના મલાડ પશ્ચિમમાં થયું. આ અકસ્માત પર મુંબઇ મેયર કિશોરી પેડણેકરે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ ઇમારતમાં થયેલા ગેરકાયદેસર નિર્માણની તપાસ કરી દોષીઓને આકરી સજા આપવામાં આવશે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે અને દોષીઓની શોધ ચાલું છે. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે ભાજપ આ મામલે જે કહી રહી છે તેને કહેવા દો, તેમને લાગે છે કે બધી ભૂલ શિવસેનાની છે અને તે પોતે સાફ છે.
મેયર પેડણેકરે કહ્યું કે ભાજપ આ મામલે જે કહી રહી છે તેમને કહેવા દો તેમને લાગે છે કે બધી ભૂલ શિવસેનાની છે અને તે પોતે સાફ છે. આ વિશે બીએમસી અને જિલ્લા કલેક્ટરને સંપૂર્ણ માહિતી પહેલા જ આપી દેવામાં આવી હતી. મલાડ પશ્ચિમના એડિશનલ સીપી દિલીપ સાવંતે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ અકસ્માતમાં G+2 બિલ્ડિંગ બીજી બિલ્ડિંગ પર પડી ગઈ જેમાં 11 લોકોના દુઃખદ નિધન થઈ ગયા.
ADVERTISEMENT
Culprits behind what happened in Malad (building collapse incident) should take responsibility for it. More than looking into whose administration was there, it should be seen that who was responsible for it. Had everyone been responsible, it wouldn`t have happened: Mumbai Mayor pic.twitter.com/yHRzpCtjY2
— ANI (@ANI) June 10, 2021
ઇમારતના માલિક અને કૉન્ટ્રેક્ટર પર કેસ
આ અકસ્માતમાં અત્યાર સુધી 18 લોકોને કાટમાળમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે 11ના નિધન થઈ ગયા છે. મલાડ પશ્ચિમના એડિશનલ સીપી દિલીપ સાવંતે જણાવ્યું કે પોલીસ આ અકસ્માતની તપાસ કરવામાં લાગેલી છે ઇન્વેસ્ટીગેશન રિપૉર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઇમારતના માલિક અને ઠેકેદાર વિરુદ્ધ આઇપીસીની કલમ 304 (2) હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ માહિતી પણ મળી છે કે તાજેતરમાં જ આવેલા તૌકતે તોફાન પછી આ ઇમારતમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.