કુણાલ કામરાએ ઇન્ડિગો ઍરલાઇન્સ પર 25 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે
કુણાલ કામરા
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ ઈન્ડિગો એરલાઇન્સને કાનૂની નોટિસ મોકલી છે. તેમણે માગ કરી છે કે તેમના પર મૂકવામાં આવેલો ૬ મહિનાનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે. કાનૂની નોટિસમાં કામરાએ પચીસ લાખ રૂપિયાનો માનહાનીનો દાવો પણ કર્યો છે. કામરાએ કહ્યું હતું કે, માનસિક પીડા અને દુઃખ પહોચાડ્યું હોવાના કારણે ૨૫ લાખ રૂપિયા આપે.
કામરાએ ઇન્ડિગોને કોઈપણ પ્રકારની શરત વગર માફી માંગવા માટે પણ કહ્યું છે અને દરેક સમાચાર પત્રમાં માફીનામાને પ્રકાશિત કરવા માટે કહ્યું છે. ઈન્ડિગો એરલાઇન્સમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને કથિતરૂપે હેરાન કરવાના મામલે વિમાન કંપનીઓને તેમની ઉડ્ડયન યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કુણાલ કામરાએ બુધવારના રોજ કહ્યું હતું કે, તેઓ પીએચડીના વિદ્યાર્થી રોહિત વેમુલા સાથે એકતા બતાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી. અને ક્યારેય ’અસંસ્કારી અથવા અસભ્ય’ વર્તન કર્યું નહીં.