Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીના સ્વામિનારાયણ મંદિરમાં દાનપેટી તોડીને થઈ 35,000ની ચોરી

ડોમ્બિવલીના સ્વામિનારાયણ મંદિરમાં દાનપેટી તોડીને થઈ 35,000ની ચોરી

16 April, 2021 09:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોમ્બિવલી (ઈસ્ટ)માં રાજાજી રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રાખેલી પાંચ દાનપેટી તોડી એમાં રહેલી રોકડની ચોરી થઈ હતી.

જ્યાં ચોરી થઈ હતી એ રાજાજી માર્ગ પર આવેલું સ્વામીનારાયણ મંદિર.

જ્યાં ચોરી થઈ હતી એ રાજાજી માર્ગ પર આવેલું સ્વામીનારાયણ મંદિર.


ડોમ્બિવલી (ઈસ્ટ)માં રાજાજી રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રાખેલી પાંચ દાનપેટી તોડી એમાં રહેલી રોકડની ચોરી થઈ હતી. એની ફરિયાદ રામનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મંદિરની એન્ટ્રી પર અને વિવિધ જગ્યાએ રાખેલી દાનપેટીમાંથી આશરે ૩૫,૦૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. પોલીસ અલગ-અલગ ઍન્ગલથી કેસની તપાસ કરી રહી છે.

ડોમ્બિવલી (ઈસ્ટ)ના રાજાજી માર્ગ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ૧૨ એપ્રિલે રાતે ગઠિયાઓ છ દાનપેટીમાંથી પાંચ દાનપેટી તોડી એમાં ભક્તોએ દાન કરેલી આશરે ૩૫,૦૦૦ રૂપિયાની રોકડની ચોરી કરીને નાસી ગયા હતા. મંદિરના અધિકારીઓએ સવારે મંદિરની દાનપેટીઓ જોઈ ત્યારે આ ઘટના જાણવા મળી હતી. તેમણે તરત ડોમ્બિવલીના રામનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



રામનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન સેન્ડભોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ચોરીની ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. 


ચોરી વિશે સ્વામીનારાયણ મંદિરના ખજાનચી પ્રશાંત માલવિયાએ ‘મિડ-ડે’ સાથે કોઈ વાત ન કરતાં આ વિષય પર બોલવાનું ટાળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2021 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK