ડોમ્બિવલી (ઈસ્ટ)માં રાજાજી રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રાખેલી પાંચ દાનપેટી તોડી એમાં રહેલી રોકડની ચોરી થઈ હતી.
જ્યાં ચોરી થઈ હતી એ રાજાજી માર્ગ પર આવેલું સ્વામીનારાયણ મંદિર.
ડોમ્બિવલી (ઈસ્ટ)માં રાજાજી રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રાખેલી પાંચ દાનપેટી તોડી એમાં રહેલી રોકડની ચોરી થઈ હતી. એની ફરિયાદ રામનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મંદિરની એન્ટ્રી પર અને વિવિધ જગ્યાએ રાખેલી દાનપેટીમાંથી આશરે ૩૫,૦૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. પોલીસ અલગ-અલગ ઍન્ગલથી કેસની તપાસ કરી રહી છે.
ડોમ્બિવલી (ઈસ્ટ)ના રાજાજી માર્ગ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ૧૨ એપ્રિલે રાતે ગઠિયાઓ છ દાનપેટીમાંથી પાંચ દાનપેટી તોડી એમાં ભક્તોએ દાન કરેલી આશરે ૩૫,૦૦૦ રૂપિયાની રોકડની ચોરી કરીને નાસી ગયા હતા. મંદિરના અધિકારીઓએ સવારે મંદિરની દાનપેટીઓ જોઈ ત્યારે આ ઘટના જાણવા મળી હતી. તેમણે તરત ડોમ્બિવલીના રામનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
રામનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન સેન્ડભોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ચોરીની ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ચોરી વિશે સ્વામીનારાયણ મંદિરના ખજાનચી પ્રશાંત માલવિયાએ ‘મિડ-ડે’ સાથે કોઈ વાત ન કરતાં આ વિષય પર બોલવાનું ટાળ્યું હતું.