Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Corona Update: દર્દીઓની સંખ્યા ઘટી, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા 1,815 નવા કેસ

Mumbai Corona Update: દર્દીઓની સંખ્યા ઘટી, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા 1,815 નવા કેસ

25 January, 2022 08:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા

પ્રતીકાત્મક તસવીર Coronavirus

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1,815 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલની સરખામણીએ દર્દીઓની સંખ્યા પણ ઓછી હોવાથી મુંબઈકરોની ચિંતા ઓછી છે. દરમિયાન, રાજ્યમાં કોરોનાના દર્દીઓ હજુ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા મુંબઈગરાંને હજુ પણ સાવચેતી રાખવા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં મુંબઈમાં 22,184 સક્રિય કોરોનાના દર્દીઓ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે મુંબઈમાં 1,815 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,556 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 753 લોકોએ કોરોનાને માત આપી છે. તેથી, હાલમાં મુંબઈનો રિકવરી રેટ 96 ટકા છે.



હાલ મુંબઈમાં 34 ઈમારતો સીલ કરવામાં આવી છે. તેમ જ નવા મળી આવેલા 1,815 દર્દીઓમાંથી માત્ર 293 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 37,874 બેડમાંથી માત્ર 3 હજાર 474 બેડ જ ઉપયોગમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2022 08:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK