Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહુ ઓછી ટિકિટબારીઓ ખુલ્લી રહેતી હોવાથી પ્રવાસીઓને તહેવારોમાં હાલાકી

બહુ ઓછી ટિકિટબારીઓ ખુલ્લી રહેતી હોવાથી પ્રવાસીઓને તહેવારોમાં હાલાકી

12 November, 2012 05:21 AM IST |

બહુ ઓછી ટિકિટબારીઓ ખુલ્લી રહેતી હોવાથી પ્રવાસીઓને તહેવારોમાં હાલાકી

બહુ ઓછી ટિકિટબારીઓ ખુલ્લી રહેતી હોવાથી પ્રવાસીઓને તહેવારોમાં હાલાકી


તેમને ટિકિટ મેળવવામાં ઘણો સમય વીતી જાય છે એને કારણે તેમણે અનેક ટ્રેનો ગુમાવવી પડે છે. આ સ્ટેશનો પર ઘણી વિન્ડો કાં તો બંધ હોય છે અથવા તો બહુ મર્યાદિત સમય માટે જ ખુલ્લી રહે છે.

સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી ટર્મિનસ, દાદર, કુર્લા, થાણા અને કલ્યાણ જેવાં મહત્વનાં અને ભીડવાળાં સ્ટેશનો પર બધાં ટિકિટ-કાઉન્ટરો એકસાથે ખુલ્લાં નથી રહેતાં એને કારણે ટિકિટ લેનાર વ્યક્તિઓની લાંબી લાઇન થઈ જાય છે અને પીક-અવર્સ દરમ્યાન તો એ લાઇન રેલવે-સ્ટેશનની બહાર અથવા તો ફૂટ ઓવરબ્રિજ સુધી લંબાઈ જાય છે.

રેલવે-અધિકારીઓ પણ સ્વીકારે છે કે સ્ટાફની શૉર્ટેજને કારણે બધી ટિકિટ-વિન્ડો એકસાથે ખોલી નથી શકાતી. મળેલા આંકડા પ્રમાણે સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પર તેમ જ હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર કુલ ૪૨૮ જેટલી ટિકિટ-વિન્ડો છે, પણ સ્ટાફની કમીને કારણે રોજ સરેરાશ ૩૫૦ ટિકિટ-વિન્ડો જ ખોલી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2012 05:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK