Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મ્યુકરમાઇકોસિસને રોકવા બીએમસી કરશે કોરોનાના સાજા થયેલા દરદીઓનું ફૉલો-અપ

મ્યુકરમાઇકોસિસને રોકવા બીએમસી કરશે કોરોનાના સાજા થયેલા દરદીઓનું ફૉલો-અપ

15 May, 2021 10:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મ્યુકરમાઇકોસિ‌સનાં સંભવત લક્ષણો પર ચાંપતી નજર રાખવાનું દરેક વૉર્ડને કહેવામાં આવ્યું છે

બીએમસી - પ્રતીકાત્મક તસવીર

બીએમસી - પ્રતીકાત્મક તસવીર


કોરોનાના દરદીઓમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં અચાનક જ થયેલા વધારાથી હરકતમાં આવેલી સુધરાઈએ કોરોનાના તમામ દરદીઓના ડિસ્ચાર્જ બાદ તેમનું ફૉલો-અપ કરવાનો નિર્ણય કર્યો છે.

બીએમસીના ઍડિશનલ મ્યુનિુસપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘વૉર્ડ અધિકારીઓને તેમના વૉર્ડના કોરોનાના દરદીઓ સાજા થઈ ગયા બાદ તેમનું ફૉલો-અપ કરવાની સૂચના આપી દેવાઈ છે. દરેક વૉર્ડની ટીમ તેમના વૉર્ડના કોવિડ દરદીઓનું ફૉલો-અપ કરે છે. અમે તેમને ડિસ્ચાર્જ થઈ ગયેલા દરદીઓમાં મ્યુકરમાઇકોસિસનાં સંભવિત લક્ષણો માટે તેમના પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. એના કારણે આ ફંગલ ઇન્ફેક્શનના સ્ક્રીનિંગ અને વહેલી તપાસ કરવામાં મદદ મળશે.’



મુંબઈમાં બીએમસી અને સરકાર દ્વારા સંચાલિત જુદી-જુદી હૉસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસના ૧૫૧ દરદીઓ દાખલ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એમાંના મોટા ભાગના મુંબઈની બહારના છે. કોરોનાના દરદીઓ મ્યુકરમાઇકોસિસનાં લક્ષણો સાથે શહેરની હૉસ્પિટલોમાં દાખલ થવાના વધી રહેલા કેસ વિશે ‘મિડ-ડે’એ અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ઘણા દરદીઓએ આ ફંગલ ઇન્ફેક્શનના કારણે દૃષ્ટિ ગુમાવી દીધી છે અને ચહેરો કુરૂપ થઈ ગયો છે. કોરોનાકાળ પહેલાં મ્યુકરમાઇકોસિસ દુર્લભ ફંગલ ઇન્ફેક્શન ગણાતું હતું અને નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા દરદીઓમાં જ જોવા મળતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK