મુંબઈ: 10મા અને 12માની પરીક્ષા ટાઇમ-ટેબલ મુજબ જ થશે
પ્રતીકાત્મક તસવીર
રાજ્યનાં એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કોરાનાના વધતા પ્રભાવવને કારણે ૧૦મા અને ૧૨માની એક્ઝામ લેવાનું હાલમાં માંડી વાળ્યું છે એવા અહેવાલોને રદિયો આપતાં કહ્યું હતું કે ‘૧૦મા અને ૧૨માની પરીક્ષા એના નિર્ધારિત ટાઇમ-ટેબલ મુજબ ઑફલાઇન લેવામાં આવશે. પહેલેથી જાહેર કરાયેલા ટાઇમ-ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા અમારા મતે પ્રાથમિક સ્તરે રહેશે, પણ એ સાથે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ પણ એટલું જ મહત્ત્વનું છે.’
જે સ્કૂલોમાં કોરાનાના કેસ મળી આવ્યા છે ત્યાંના સ્થાનિક પ્રશાસનને આ બાબતે પૂરતી કાળજી લેવાના નિર્દેશ અપાયા છે એમ જણાવીને વર્ષા ગાયકવાડે વધુમાં કહ્યું હતું કે ‘એમાં ડિસઇન્ફેક્શન કરવાનું અને સ્વચ્છતાનું પાલન કરાય એ માટેનાં પગલાં લેવા કહેવાયું છે. ૧૦માની પરીક્ષા ૨૯ એપ્રિલથી ૨૦ મે દરમ્યાન લેવામાં આવશે, જ્યારે ૧૨માની પરીક્ષા ૨૩ એપ્રિલથી ૨૧ મે દરમ્યાન લેવામાં આવશે.’