બપોરના સમયે દહાણુથી ૨૫ કિલોમીટર પૂર્વ તરફ ધ્રુજારી અનુભવાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. જોકે જાનમાલને કોઈ નુકસાન થયું નથી એમ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.
બપોરના સમયે દહાણુથી ૨૫ કિલોમીટર પૂર્વ તરફ ધ્રુજારી અનુભવાઈ હતી એમ જિલ્લાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું. આ ભૂકંપમાં જાનમાલને નુકસાન થયાની કોઈ ઘટના નોંધાઈ નથી એમ તેમણે ઉમેર્યું હતું. પાલઘર જિલ્લાના કેટલાક ભાગોમાં અને ખાસ કરીને દહાણુ નજીકના દુંડલવાડી ગામમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણી ભૂસ્તરીય ગતિવિધિ અનુભવાઈ રહી છે.