Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘરમાં ભૂકંપનો હળવો આંચકો, જોકે જાનમાલને કોઈ નુકસાન નહીં

પાલઘરમાં ભૂકંપનો હળવો આંચકો, જોકે જાનમાલને કોઈ નુકસાન નહીં

25 June, 2021 04:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બપોરના સમયે દહાણુથી ૨૫ કિલોમીટર પૂર્વ તરફ ધ્રુજારી અનુભવાઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. જોકે જાનમાલને કોઈ નુકસાન થયું નથી એમ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.

બપોરના સમયે દહાણુથી ૨૫ કિલોમીટર પૂર્વ તરફ ધ્રુજારી અનુભવાઈ હતી એમ જિલ્લાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું. આ ભૂકંપમાં જાનમાલને નુકસાન થયાની કોઈ ઘટના નોંધાઈ નથી એમ તેમણે ઉમેર્યું હતું. પાલઘર જિલ્લાના કેટલાક ભાગોમાં અને ખાસ કરીને દહાણુ નજીકના દુંડલવાડી ગામમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણી ભૂસ્તરીય ગતિવિધિ અનુભવાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK