Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મનસુખ હિરેન હત્યા કેસ : NIAએ સચિન વઝે અને અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી

મનસુખ હિરેન હત્યા કેસ : NIAએ સચિન વઝે અને અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી

03 September, 2021 05:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેન્દ્રીય તપાસ એજન્સીએ અહીંની કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.

સચિન વઝે

સચિન વઝે


કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)એ શુક્રવારે એન્ટીલિયા બોમ્બ સકેર-મનસુખ હિરેનની હત્યાના કેસમાં બરતરફ પોલીસ અધિકારી સચિન વઝે અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ અહીંની કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.



વઝે ઉપરાંત ભૂતપૂર્વ ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પ્રદીપ શર્મા અને કેટલાક અન્ય ભૂતપૂર્વ પોલીસ કર્મચારીઓ પણ આ કેસમાં આરોપી છે.


વકીલે જણાવ્યું હતું કે, એજન્સીએ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગયા મહિને કોર્ટે આપેલી 30 દિવસની મુદતના અંતના બે દિવસ પહેલા ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસ ચાલુ વર્ષે 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ નિવાસસ્થાન પાસે વિસ્ફોટકોથી ભરેલી એસયુવી પ્રાપ્ત થવા સાથે સંબંધિત છે. થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેને, જેમણે દાવો કર્યો હતો કે તેઓ એસયુવીના માલિક છે, તેઓ 5 માર્ચે થાણેની એક ખાડીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2021 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK