Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સર્વોચ્ચ અદાલતના મરાઠા અનામત વિશેના ચુકાદા સામે વિરોધ-પ્રદર્શન

સર્વોચ્ચ અદાલતના મરાઠા અનામત વિશેના ચુકાદા સામે વિરોધ-પ્રદર્શન

10 May, 2021 09:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મરાઠા સમુદાયને અનામતની જોગવાઈ રદ કરતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાના વિરોધમાં થાણે જિલ્લાના દિવા ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મરાઠા સમુદાયને અનામતની જોગવાઈ રદ કરતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાના વિરોધમાં થાણે જિલ્લાના દિવા ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દિવાના છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં ભારતીય મરાઠા સંઘના ડઝનેક હોદ્દેદારો માથે મુંડન કરાવીને બૅનર્સ હાથમાં લઈને બેઠા હતા અને મરાઠા આરક્ષણની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા હતા. મરાઠા સંઘના નેતાઓએ ભાષણમાં મહા વિકાસ આઘાડી સરકાર અને વિરોધ પક્ષો પર પ્રહાર કર્યા હતા. 

ભારતીય મરાઠા સંઘના નેતાઓએ શાસક અને વિપક્ષી રાજકારણીઓ પર મરાઠા સમુદાયને અધવચ્ચે રખડાવવાનો આરોપ મૂક્યો હતો. મરાઠા સંઘના નેતાઓએ આરક્ષણ ફરી લાગુ કરવાની માગણીનું આંદોલન રસ્તા પર કરવા અને જો અનામતની જોગવાઈ યથાવત્ કરવામાં ન આવે તો વિધાનસભ્યો તથા સંસદસભ્યોને બહાર ખુલ્લામાં ફરવા નહીં દેવાની ચીમકી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK