Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Politics: એકનાથ શિંદેની મોટી જીત, ભાજપના નેતા રાહુલ નાર્વેકરને વિધાનસભાના નવા અધ્યક્ષ ચૂંટાયા

Maharashtra Politics: એકનાથ શિંદેની મોટી જીત, ભાજપના નેતા રાહુલ નાર્વેકરને વિધાનસભાના નવા અધ્યક્ષ ચૂંટાયા

03 July, 2022 01:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્પીકરની ચૂંટણીમાં જીત બાદ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં જય શિવાજી, જય શ્રી રામ અને જય ભવાનીના નારા લગાવ્યા

 વિધાન ભવનમાં રાહુલ નાર્વેકર. તસવીર/સમીર આબેદી Maharashtra Politics

વિધાન ભવનમાં રાહુલ નાર્વેકર. તસવીર/સમીર આબેદી


મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ફ્લોર ટેસ્ટ પહેલાં વિધાનસભા સ્પીકરની ચૂંટણીમાં શિંદે જૂથનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. વિધાનસભાના વિશેષ સત્રના પ્રથમ દિવસે સ્પીકર માટે મતદાન થયું હતું. દરેક ધારાસભ્યને તેમનો મત પૂછવામાં આવ્યો હતો, જેમાં શિંદે જૂથ MVA ગઠબંધન પર ભારે પડ્યો હતો. આ જીત બાદ હવે સોમવાર, 4 જુલાઈએ એકનાથ શિંદે જૂથે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે.

કોને કેટલા મત મળ્યા?



મહારાષ્ટ્ર વિધાનસભામાં જ્યારે સ્પીકરને લઈને મતદાન થયું ત્યારે શરૂઆતથી જ ભાજપના રાહુલ નાર્વેકરે મોરચો સંભાળ્યો હતો, જે બાદ તેઓ કુલ 164 વોટ મેળવીને જીત્યા હતા. તેમને બહુમત માટે 144 વોટની જરૂર હતી. બીજી તરફ એમવીએ તરફથી નામાંકિત રાજન સાલ્વીને કુલ 107 મત મળ્યા હતા. ખાસ વાત એ છે કે ભાજપના ઉમેદવારને MNS વતી પણ વોટ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, સપાના બે ધારાસભ્યો અને AIMIMના ધારાસભ્યોએ મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો. CPI ધારાસભ્ય વિનોદ નિકોલેના MVAની તરફેણમાં મતદાન કર્યું હતું.


સ્પીકરની ચૂંટણીમાં જીત બાદ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં જય શિવાજી, જય શ્રી રામ અને જય ભવાનીના નારા લગાવ્યા હતા. તેમ જ દરેકે એકબીજાને જીતની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને સીએમ એકનાથ શિંદે સાથે દેખાયા હતા. વિધાનસભામાં મતદાન દરમિયાન ઘણા ધારાસભ્યો પહોંચ્યા ન હતા. તેમાં એનસીપીના નવાબ મલિક, અનિલ દેશમુખ, નિલેશ લંકે, દિલીપ મોહિતે, દત્તાત્રય ભરણે, અન્ના બન્સોડે, બબન્દાદા શિંદેનું નામ સામેલ છે, જેઓ કોઈ કારણસર વિધાનસભામાં પહોંચ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે રાહુલ નાર્વેકર 2014 પહેલાં શિવસેનામાં હતા, પરંતુ તેમને લોકસભાની ટિકિટ ન મળી, પછી પાર્ટી છોડીને તેઓ NCPમાં જોડાયા. 2014માં તેઓ માવલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા, ત્યારબાદ નાર્વેકર ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2016માં નાર્વેકર રાજ્યપાલના ક્વોટામાંથી વિધાન પરિષદમાં પહોંચ્યા હતા. તે જ સમયે, 2019 વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોલોબા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK