Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરે તેમનો નિર્ણય બદલીને યુ-ટર્ન લેશે તો આશ્ચર્ય થશે : પૃથ્વીરાજ ચવાણ

ઉદ્ધવ ઠાકરે તેમનો નિર્ણય બદલીને યુ-ટર્ન લેશે તો આશ્ચર્ય થશે : પૃથ્વીરાજ ચવાણ

24 June, 2022 10:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતની ટિપ્પણી પર શું શિવસેના મહારાષ્ટ્રમાં બીજેપી સાથે હાથ મિલાવવા માગે છે? એવો પ્રશ્ન પુછાતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પત્રકારોને જણાવ્યું હતું

ફાઇલ તસવીર Maharashtra Political Drama

ફાઇલ તસવીર


શિવસેનાએ શાસક મહાવિકાસ આઘાડી સાથેના ગઠબંધનમાંથી અલગ થઈ જવું જોઈએ એવી શિવસેનાના બળવાખોર નેતાઓની માગણીને સ્વીકારીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અબાઉટ ટર્ન લે એમ નથી લાગતું એમ કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે જણાવ્યું હતું.

શિવસેનાએ એનસીપી અને કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનનો અંત લાવવો જોઈએ એવી એકનાથ શિંદેની આગેવાની હેઠળના વિધાનસભ્યોની માગણી પર વિચાર કરવા તૈયાર છે એ મુજબના શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે સવારમાં આપેલા નિવેદનને પગલે પૃથ્વીરાજ ચવાણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.



સંજય રાઉતની ટિપ્પણી પર શું શિવસેના મહારાષ્ટ્રમાં બીજેપી સાથે હાથ મિલાવવા માગે છે? એવો પ્રશ્ન પુછાતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પત્રકારોને જણાવ્યું હતું કે ‘શિવસેનાનો હેતુ હજી સ્પષ્ટ નથી થઈ રહ્યો. મુખ્ય પ્રધાને બુધવારે જાહેર જનતાને કરેલા સંબોધનમાં આવું કંઈ સ્પષ્ટ નહોતું થઈ રહ્યું. જો ઉદ્ધવ ઠાકરે ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં અબાઉટ ટર્ન લેશે તો મને આશ્ચર્ય થશે. જોકે તેઓ આવું કરે એમ નથી લાગતું.’


શિવસેનાના કયા જૂથને પક્ષનો અધિકૃત ચહેરો માનવામાં આવે એ અંગે પણ સ્પષ્ટતા નથી એમ જણાવતાં કૉન્ગ્રેસના નેતાએ ઉમેર્યું હતું કે શિવસેના આંતરિક ફૂટનો સામનો કરી રહી હતી અને તેમણે એને સંબોધવાની જરૂર હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK