Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૉસ્પિટલમાં દાખલ પત્નીની ઉપરવટ જઈને સંજય રાઠોડ જોડાયા શિંદે ગુપ સાથે

હૉસ્પિટલમાં દાખલ પત્નીની ઉપરવટ જઈને સંજય રાઠોડ જોડાયા શિંદે ગુપ સાથે

24 June, 2022 11:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો

સંજય રાઠોડ Maharashtra Political Drama

સંજય રાઠોડ


શિવસેનામાં બળવો કરીને આસામ પહોંચેલા એકનાથ શિંદેના ગ્રુપમાં વિધાનસભ્ય સંજય રાઠોડનો પણ સમાવેશ થાય છે. મૂળમાં સંજય રાઠોડ મુંબઈમાં હતા. એ પછી એકનાથ શિંદેને વિધાનસભ્યો ખૂટી રહ્યા છે અને તેમના તરફથી કહેણ આવતાં સંજય રાઠોડે તેમની સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જોકે તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો. તેમનું કહેવું હતું કે સંજય રાઠોડે ઉદ્ધવ ઠાકરેને જ સાથ આપવો જો​ઈએ. એ પછી તેમની તબિયત લથડી હતી અને તેમનું બ્લડ-પ્રેશર વધી ગયું હતું એટલે તેમને સારવાર માટે જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એક દિવસ સંજય રાઠોડ તેમની સાથે હૉસ્પિટલમાં પણ રહ્યા હતા. એ પછી તેમણે પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો હતો અને આસામના ગુવાહાટીમાં એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યો પાસે પહોંચી ગયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK