તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો
સંજય રાઠોડ
શિવસેનામાં બળવો કરીને આસામ પહોંચેલા એકનાથ શિંદેના ગ્રુપમાં વિધાનસભ્ય સંજય રાઠોડનો પણ સમાવેશ થાય છે. મૂળમાં સંજય રાઠોડ મુંબઈમાં હતા. એ પછી એકનાથ શિંદેને વિધાનસભ્યો ખૂટી રહ્યા છે અને તેમના તરફથી કહેણ આવતાં સંજય રાઠોડે તેમની સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જોકે તેમના ઘરમાં આ નિર્ણય તેમનાં પત્ની શીતલ રાઠોડને માન્ય નહોતો. તેમનું કહેવું હતું કે સંજય રાઠોડે ઉદ્ધવ ઠાકરેને જ સાથ આપવો જોઈએ. એ પછી તેમની તબિયત લથડી હતી અને તેમનું બ્લડ-પ્રેશર વધી ગયું હતું એટલે તેમને સારવાર માટે જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એક દિવસ સંજય રાઠોડ તેમની સાથે હૉસ્પિટલમાં પણ રહ્યા હતા. એ પછી તેમણે પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો હતો અને આસામના ગુવાહાટીમાં એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યો પાસે પહોંચી ગયા હતા.