Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: નાના પટોલેનો ભાજપ પર આક્ષેપ, કહ્યું મને બદનામ કરવામાં આવી રહ્યો છે

Maharashtra: નાના પટોલેનો ભાજપ પર આક્ષેપ, કહ્યું મને બદનામ કરવામાં આવી રહ્યો છે

02 April, 2022 02:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમનું નામ એડવોકેટ સતીશ ઉકે સાથે જોડીને તેમને અને તેમની પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નાના પટોલે

નાના પટોલે


મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમનું નામ એડવોકેટ સતીશ ઉકે સાથે જોડીને તેમને અને તેમની પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં સતીશ ઉકેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પટોલેએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વધતા પ્રભાવને કારણે ભાજપે તેમને અને તેમની પાર્ટીને બદનામ કરી છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં મીડિયા સાથે વાત કરતા પટોલેએ કહ્યું કે, `ભાજપ સતીશ ઉકેને મારા વકીલ કહીને મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે વકીલ મારા વતી અને કાલે બીજા કોઈ વતી કોર્ટમાં જઈ શકે છે. તેઓ મને અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે આ બધી વાતો કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વધતા પ્રભાવને કારણે ભાજપે મારા નામને ઉકે સાથે જોડીને બદનામ કરવા માટે પ્રેરિત કર્યા છે.`



મુંબઈની એક વિશેષ અદાલતે શુક્રવારે એડવોકેટ સતીશ ઉકે અને તેના ભાઈ પ્રદીપ ઉકેને મની લોન્ડરિંગ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ દ્વારા 6 એપ્રિલ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી દીધા છે. બંને ભાઈઓની ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. નાગપુર પોલીસે સતીશ ઉકે અને તેના ભાઈ પ્રદીપ ઉકે વિરુદ્ધ 11.5 કરોડ રૂપિયાની 1.5 એકર જમીનની ખરીદી માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ FIR નોંધી છે.


રવિ જાધવ કહે છે કે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું અને પછી જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. એડવોકેટ સતીશ ઉકે અને પ્રદીપ ઉકેની ધરપકડ ગેરકાયદેસર છે. તમને જણાવી દઈએ કે વકીલ સતીશ ઉકે તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ વિરુદ્ધ અનેક અરજીઓ ભરવા માટે જાણીતા છે. તેમની એક અરજીમાં, તેમણે ફડણવીસ સામે તેમના ચૂંટણી એફિડેવિટમાં ફોજદારી કેસોની બિન-જાહેરાતx` માટે ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2022 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK