શિંદે ઠાકરે પરિવારથી નારાજ છે. તો વિધાન પરિષદ ચૂંટણીના પરિણામને લઈને નારાજ સીએમ ઠાકરેએ આજે વિધેયકોની ઇમરજન્સી બેઠક બોલાવી છે.
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણી (MLC Election)ના પરિણામથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) હેરાન તો છે જ, હવે તેમની સરકાર પર વધુ એક મુશ્કેલી આવી પડી છે. ચર્ચાઓ પ્રમાણે કેબિનેટ મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) શિવસેનાના સંપર્કમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 10થી 3 વિધેયકો સાથે ગુજરાત, સૂરતમાં છે. શિંદે ઠાકરે પરિવારથી નારાજ છે. તો વિધાન પરિષદ ચૂંટણીના પરિણામને લઈને નારાજ સીએમ ઠાકરેએ આજે વિધેયકોની ઇમરજન્સી બેઠક બોલાવી છે.
મહારાષ્ટ્રની 10 સીટ પર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ભાજપના બધા ઉમેદવાર જીતી ચૂક્યા છે. જ્યારે એનસીપી અને શિવસેનાના 2-2 ઉમેદવારોને જીત મળી છે. કૉંગ્રેસને એક સીટ પર જીત મળી છે. શિવસેનાથી સચિન આહીર અને અમાશ્યા પાડવીએ જીત હાંસલ કરી છે. તો એનસીપીના એકનાથ ખડસે અને રામરાજે નિંબાળકર ચૂંટણી જીતી ગયા છે. તો ભાજપના પ્રવીણ દરેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય અને ઉમા ખપરેએ વિધાન પરિષદ ચૂંટણી જીતી છે. તો બીજેપી નેતા પ્રસાદ લાડને કૉંગ્રેસના ભાઈ જગતાપ સામે હારનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
રાતે જ એકનાથ શિંદે અને શિવસેનાના 10થી 12 વિધેયકો સંપર્કમાં નથી. ઉદ્ધવ ઠાકરેએ આજે વર્ષા બંગલા પર શિવસેનાના વિધેયકોની બેઠક બોલાવી છે. એવામાં જો આ વિધેયક ત્યાં નહીં પહોંચે તો મહાવિકાસ આઘાડી સરકારની મુશ્કેલી વધી શકે છે. શિંદે પોતાના સમર્થક વિધેયકો સાથે રાતે મુંબઈથી બહાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. માહિતી છે કે તે સૂરતના કોઈ હોટલમાં રોકાયા છે અને બીજેપીના સંપર્કમાં છે.
12 વાગ્યે ઇમરજન્સી બેઠક
સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલતી ઉથલપાથલને જોતા આજે 12 વાગ્યે વિધેયકનો ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેના નૉટ રિચેબલ થયા બાદ સીએમએ આ બેઠક બોલાવી છે.