બુધવારે કૅબિનેટની મીટિંગ દરમિયાન બેચેની થતાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
જયંત પાટીલની ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના જળસંસાધનપ્રધાન જયંત પાટીલને બુધવારે કૅબિનેટની મીટિંગ દરમિયાન બેચેની થતાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા એના એક દિવસ બાદ ગુરુવારે તેમની ઍન્જિયોગ્રાફી કરાઈ હતી. મેડિકલ પ્રક્રિયા બાદ તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ચિંતાનું કોઈ કારણ નથી અને ડૉક્ટરોએ મને બે દિવસ આરામ કરવાની સલાહ આપી છે. રાજ્ય એનસીપીના પ્રમુખ જયંત પાટીલને બુધવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.