Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: કેબિનેટની ચાલુ મિટિંગમાં આ મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જાણો વિગત

Maharashtra: કેબિનેટની ચાલુ મિટિંગમાં આ મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જાણો વિગત

27 January, 2022 07:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેબિનેટની બેઠકમાં અશોક ચવ્હાણની હાજરીથી અન્ય મંત્રીઓની ચિંતા વધી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રાજ્યના જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે કેબિનેટની બેઠક દરમિયાન મંત્રીને જણાવવામાં આવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ અશોક ચવ્હાણ તરત જ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. કેબિનેટની બેઠકમાં અશોક ચવ્હાણની હાજરીથી અન્ય મંત્રીઓની ચિંતા વધી છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી છે. દરરોજ કોરોનાનો નવા આંકડા સામે આવી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ કોરોનાથી પરેશાન થઈ રહ્યા છે. તેવામાં અશોક ચવ્હાણને બીજી વખત કોરોના થયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં તેઓ કોરોનાનો ભોગ બન્યા હતા. તેમને નાંદેડથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક ચવ્હાણ આજની કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. વર્તમાન કેબિનેટ બેઠકમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેથી તેમણે તરત જ મીટિંગ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.


અશોક ચવ્હાણે પોતાના ટ્વીટમાં કહ્યું “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપા કરીને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ અને ટેસ્ટ કરાવવો જોઈએ.”


Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 07:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK