કેબિનેટની બેઠકમાં અશોક ચવ્હાણની હાજરીથી અન્ય મંત્રીઓની ચિંતા વધી છે.
ફાઇલ તસવીર
રાજ્યના જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે કેબિનેટની બેઠક દરમિયાન મંત્રીને જણાવવામાં આવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ અશોક ચવ્હાણ તરત જ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. કેબિનેટની બેઠકમાં અશોક ચવ્હાણની હાજરીથી અન્ય મંત્રીઓની ચિંતા વધી છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી છે. દરરોજ કોરોનાનો નવા આંકડા સામે આવી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ કોરોનાથી પરેશાન થઈ રહ્યા છે. તેવામાં અશોક ચવ્હાણને બીજી વખત કોરોના થયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં તેઓ કોરોનાનો ભોગ બન્યા હતા. તેમને નાંદેડથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક ચવ્હાણ આજની કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. વર્તમાન કેબિનેટ બેઠકમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેથી તેમણે તરત જ મીટિંગ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
અશોક ચવ્હાણે પોતાના ટ્વીટમાં કહ્યું “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપા કરીને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ અને ટેસ્ટ કરાવવો જોઈએ.”