Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `દિલ્હીથી લેક્ચર ન આપે જાવડેકર`, મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સમર્થનમાં સંજય રાઉત

`દિલ્હીથી લેક્ચર ન આપે જાવડેકર`, મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સમર્થનમાં સંજય રાઉત

11 April, 2021 03:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાઉતે કહ્યું, "દેશને લૉકડાઉનની જરૂર છે કે નહીં, તે ફક્ત વડાપ્રધાન નક્કી કરી શકે છે પણ મને લાગે છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી રેલીના કાર્યક્રમ બાદ કેન્દ્ર આ નિર્ણય લેશે." તેમણે જણાવ્યું કે રાજ્ય વેક્સીનની અછતનો સામનો કરી રહ્યું છે.

સંજય રાઉત

સંજય રાઉત


શિવ સેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા મોટા આર્થિક નુકસાન છતાં લૉકડાઉન લાગૂ પાડવાનું સમર્થન કર્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ જેવા બીજેપી નેતાઓ પર નિશાનો સાધતા તેમણે કહ્યું, "કોરોના વિરુદ્ધ યુદ્ધ કોઇ ભારત-પાક યુદ્ધ નથી. કોઇકને કોવિડ-19 વિરુદ્ધ આ લડાઇની રાજનીતિ ન કરવી જોઇએ."

સંજય રાઉતે સંવાદદાતાઓને કહ્યું, "દેવેન્દ્ર ફડણવીસ એક પૂર્વ મુખ્યમંત્રી છે. તેમણે કહ્યું કે લોકો લૉકડાઉન નથી ઇચ્છતા. હા અમને ખ્યાલ છે પણ લોકોના જીવનને બચાવવા માટે શું ઉપાય છે?"



તેમણે કહ્યું, "દિલ્હીમાં બેસીને પ્રકાશ જાવડેકરને લેક્ચર ન આપવો જોઈએ. તેમણે અહીં આવવું જોઇએ અને જોવું જોઇએ. તેમનું રાજ્ય સાથે પણ કનેક્શન છે... કોઈએ પણ આ અંગે રાજકારણ ન કરવું જોઈએ."


મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એક સર્વદળીય બેઠક કરી હતી, જ્યાં એક વિકલ્પ તરીકે રાજ્યવ્યાપી લૉકડાઉન લાગૂ પાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જો કે, મહારાષ્ટ્ર એ પહેલા જ નાઈટ કર્ફ્યૂ અને આ અઠવાડિયાના અંતે સપ્તાહાંત લૉકડાઉનની જાહેરાત પણ કરી છે, પણ છેલ્લા ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં દેશના કુલ સંક્રમિતોના અડધા દૈનિક વૃદ્ધિના કેસ સામે આવી રહ્યા છે. આ રીતે મુખ્યમંત્રીએ કહ્યું કે ટ્રાન્સમિશનની શ્રૃંખલાને તોડવા માટે મજબૂત ઉપાય જરૂરી થઈ ગયા છે.


એ જણાવતા વિશ્વભરમાં, લૉકડાઉન એવી પરિસ્થિતિઓમાં એક સ્વીકાર્ય ઉપાય છે, રાઉતે કહ્યું કે જ્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, "લૉકડાઉન સિવાય અન્ય વિકલ્પ નથી, પણ ફક્ત મહારાષ્ટ્રની સ્થિતિ નથી. આખા દેશમાં કોવિડ કેસ વધી રહ્યા છે."

રાઉતે કહ્યું, "દેશને લૉકડાઉનની જરૂર છે કે, એ ફક્ત વડાપ્રધાન જ નક્કી કરી શકે છે પણ મને લાગે છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી રેલીઓના કાર્યક્રમ પછી કેન્દ્ર આ નિર્ણય લેશે." તેમણે જણાવ્યું કે રાજ્ય વેક્સીનની અછતનો સામનો કરી રહ્યું છે. સાથે જ તેમણે રસીકરણ અભિયાનને પૂરું કરવું અને આનો સ્ટૉક વધારવું પણ કેન્દ્રની જવાબદારી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK