Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફ વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે EDમાં કરી ફરિયાદ

મુંબઈ: કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફ વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે EDમાં કરી ફરિયાદ

22 September, 2021 11:54 AM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફ વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે EDમાં કરી ફરિયાદ કરી છે.

કિરીટ સોમૈયા

કિરીટ સોમૈયા


ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને અપ્પાસાહેબ નલવાડે ગાધીંગલાજ સહકારી ખાંડ ફેક્ટરી લિમિટેડ સાથે જોડાયેલા એનસીપી ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફ દ્વારા કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવા વિનંતી કરી હતી.

ભાજપના ભૂતપૂર્વ સાંસદે ઇડીના સંયુક્ત નિર્દેશક સયતાબ્રાતા કુમારને એક ચિઠ્ઠી સાથે એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમણે એક સોદા વિશે ખોટી કથિત વાતો કરી હતી. અને બાદમાં ખાંડનું કારખાનું ખાનગી પેઢીને સોંપવામાં આવ્યું હતું.



તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુશ્રીફ અને તેમના પરિવારના સભ્યો મની લોન્ડરિંગમાં સામેલ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મુશ્રીફના નજીકના પરિવારના સભ્ય ખાનગી પેઢીના બેનામી માલિક હતા.


આ દરમિયાન મુશ્રીફે સોમૈયા દ્વારા લગાવેલા તમામ આરોપોને હકીકતમાં ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમજ તેમણે કહ્યું હતું કે, ત્યાં કોઈ શેલ કંપનીઓ નથી કે કોઈ ગેરકાયદેસર સોદો થયો નથી. હું કાનૂની નિષ્ણાંતોની સલાહ લઈ રહ્યો છું અને સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરીશ.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 11:54 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK