Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છેતરપિંડીના કેસમાં પકડાયેલા બિલ્ડર જયેશ તન્નાને ૩ જૂન સુધી જેલ-કસ્ટડી

છેતરપિંડીના કેસમાં પકડાયેલા બિલ્ડર જયેશ તન્નાને ૩ જૂન સુધી જેલ-કસ્ટડી

23 May, 2023 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે તેની ઈઓડબ્લ્યુની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં ફરી રજૂ કરાતાં કોર્ટે તેને ૩ જૂન સુધીની જેલ-કસ્ટડી આપી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


અંધેરીમાં ડી. એન. નગરમાં સૂર્યકિરણ કો-ઑ.હા. સોસાયટીને રીડેવલપ કરી રહેલા કાંદિવલીના જાણીતા બિલ્ડર જયેશ તન્નાની સામે એ પ્રોજેક્ટમાં છેતરપિંડી કરવા બદલ નોંધાયેલી ફરિયાદના આધારે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે ધરપકડ કરી હતી. ગઈ કાલે તેની ઈઓડબ્લ્યુની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં ફરી રજૂ કરાતાં કોર્ટે તેને ૩ જૂન સુધીની જેલ-કસ્ટડી આપી હતી.

જોકે પહેલાં ઈઓડબ્લ્યુ તરફથી તેમની કસ્ટડી લંબાવી આપવા રજૂઆત થઈ હતી, પણ કોર્ટે એ માન્ય ન રાખતાં તેને જેલ-કસ્ટડી આપી હતી. જોકે એ પછી જયેશ તન્નાના વકીલ આબાદ પોંડા દ્વારા જામીન અરજી કરાઈ હતી, જેના પર કોર્ટે ૨૯ મેએ સુનાવણી રાખી છે.  



આ કેસના ફરિયાદી બેલુર શેટ્ટીએ જયેશ તન્નાના એ પ્રોજેક્ટમાં પાંચ ફ્લૅટ બુક કરાવ્યા હતા અને એ માટે ૩.૬૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેમને અલોટ કરવામાં આવેલા પાંચ ફ્લૅટમાંથી ૩ ફ્લૅટ રીડેવલપમેન્ટના જૂના રહેવાસીઓને ફાળવી દેવાયા હોવાની જાણ થતાં બેલુર શેટ્ટીએ આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK