Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેને હૉસ્પિટલમાંથી રજા મળતાં હજી થોડો સમય લાગશે

ઉદ્ધવ ઠાકરેને હૉસ્પિટલમાંથી રજા મળતાં હજી થોડો સમય લાગશે

23 November, 2021 10:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પાઇનની સર્જરી બાદ અત્યારે તેમની ફિઝિયોથેરપી ચાલી રહી હોવાનું મુખ્ય પ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપર ચાલુ મહિનાના પ્રારંભમાં સફળ સર્વાઇકલ સ્પાઇન સર્જરી કરાયા બાદ હાલ એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં એમની ફિઝિયોથેરપી ચાલી રહી હોવાનું સીએમઓએ ગઈ કાલે જણાવ્યું હતું.
વર્તમાન સમયમાં તેઓ એકદમ સ્વસ્થ છે અને થોડા સમય બાદ એમને હૉસ્પિટલમાંથી રજા અપાશે એવું સીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે. ગઈ ૧૨ નવેમ્બરના રોજ તેમના પર સ્પાઇન સર્જરી કરાઈ હતી. ૬૧ વર્ષના મુખ્ય પ્રધાનનો ગરદનનો દુખાવો વધી ગયો એ પછી ૧૦ નવેમ્બરે ડૉક્ટરોની સલાહ પર એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાલુ મહિનાના પ્રારંભમાં તેમણે એક કાર્યક્રમમાં સર્વાઇકલ કૉલર પહેરીને હાજરી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK