Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારે ધસારાને કારણે રેલવેની બુકિંગ સાઇટ ક્રેશ: લોકો પરેશાન

ભારે ધસારાને કારણે રેલવેની બુકિંગ સાઇટ ક્રેશ: લોકો પરેશાન

12 May, 2020 08:13 AM IST | Mumbai
Agenciesc

ભારે ધસારાને કારણે રેલવેની બુકિંગ સાઇટ ક્રેશ: લોકો પરેશાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાના લૉકડાઉનમાં અનેક જગ્યાએ અટકી પડેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાને જવાની સુવિધા મળી રહે એ માટે રેલવે દ્વારા ખાસ ૧૨ મેથી ૧૫ ટ્રેન (ટુ એન્ડ ફ્રો ૩૦) દોડાવવાનું નક્કી કરી એ માટે ૧૧ મે સોમવારે સાંજે ૪ વાગ્યે આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ ખૂલશે એવી જાહેરાત કરી હતી. લાંબા સમયથી આ ટ્રેનોની રાહ જોઈ રહેલા લોકોને પહેલાં તો બહુ જ પરેશાન થવું પડ્યું હતું. ૪ વાગ્યે હજારોની સંખ્યામાં યાત્રીઓએ ટિકિટ બુક કરવા લોગ ઇન કર્યું હોવાથી સર્વર એ લોડ લઈ શક્યું નહોતું અને અટકી ગયું હતું અને પછી તો આઇઆરસીટીસીનું હોમ પેજ પણ ખૂલી નહોતું રહ્યું. એ પછી ૬ વાગ્યે બુકિંગ ખૂલશે એવી જાણ કરાઈ હતી. એ પછી પણ એક કલાક સુધી એટલે કે ૭ વાગ્યા સુધી ટિકિટો બુક થઈ શકી નહોતી. લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. આખરે ૭ વાગ્યે ટિકિટો બુક થવાનું ચાલુ થયું હતું, પણ ૨૦ જ મિનિટમાં ટ્રેનો ફુલ થઈ ગઈ હતી. વળી જો મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજસ્થાન કે દિલ્હી જવું હોય તો એ ટિકિટ બુક થતી હતી પણ જો બીજા દીવસે ત્યાંથી વળતી મુંબઈની ટિકિટ જોઈતી હોય તો એનું બુકિંગ નહોતું થઈ રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:13 AM IST | Mumbai | Agenciesc

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK