Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જો વાઇરસ લહેર લાવી શકે તો શિવસેનાના તેજની લહેર આપણે લાવવાની છે : ઉદ્ધવ ઠાકરે

જો વાઇરસ લહેર લાવી શકે તો શિવસેનાના તેજની લહેર આપણે લાવવાની છે : ઉદ્ધવ ઠાકરે

24 January, 2022 11:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી શિવસૈનિકોને કરેલા સંબોધનમાં કહ્યું હતું

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


બાળ ઠાકરેની ૯૬મી જન્મજયંતી નિમિત્તે તેમના પુત્ર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં સત્તા મેળવીને બાળાસાહેબ ઠાકરેનું પૂતળું ઊભું કરવા માટે શિવસૈનિકોને ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ કરવાનો સંદેશ આપ્યો હતો. શિવસેનાના મુખ્ય પ્રધાન છે એનો ફાયદો લઈને ગામેગામ સંગઠનને મજબૂત બનાવવા માટેના પ્રયાસ કરવા તેમણે કહ્યું હતું. બીજેપીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી છે એને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને તૈયાર રહેવું કહીને ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હોવાનું કહેવાય છે. 
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી શિવસૈનિકોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે ‘ડોકની શસ્ત્રક્રિયા બાદ હવે તબિયત સારી થવાથી ઘણા દિવસે તમારી સામે આવ્યો છું. કોરોના વાઇરસે રાજ્યભરની શિવસંપર્ક ઝુંબેશને બ્રેક મારી હતી. જોકે એક વાઇરસ લહેર લાવી શકે તો શિવસેનાના તેજની લહેર આપણે લાવવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK