Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અદાણી ઍરપૉર્ટને સોંપવામાં આવશે મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ, સરકારે આપી છૂટ

અદાણી ઍરપૉર્ટને સોંપવામાં આવશે મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ, સરકારે આપી છૂટ

24 June, 2021 04:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ (MIAL)નું સ્વામિત્વ અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સને હસ્તાંતરિત કરવાની પરવાનગી આપી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


મહારાષ્ટ્ર મંત્રિમંડળે નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ બનાવતી મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ (MIAL)અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સને હસ્તાંતરિત કરવા માટે પરવાનગી આપી દીધી. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ એક નિવેદનમાં કહ્યું છે કે નવા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ માટે જમીન અધિગ્રહણનું કામ પૂરું થઈ ગયું છે. આ ઍરપૉર્ટ 1,160 હૅક્ટેયર ક્ષેત્રમાં બનશે. ઍરપૉર્ટનું પહેલું ચરણ 2023-24 સુધી પૂરું થવાની આશા છે.

નિવેદન પ્રમાણે એમઆઇએએલનું સ્વામિત્વ બદલી દેવામાં આવ્યું છે. જીવીકે ઍરપૉર્ટ્સ ડેવલપર્સના 50.5 ટકા શૅર હતા જેને અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે ખરીદી લીધું છે. સ્વામિત્વમાં ફેરફારને કેન્દ્ર સરકાર, ભારતીય પ્રતિભૂતિ તેમજ વિનિમય બૉર્ડ અને અન્યએ સ્વીકૃતિ આપી દીધી છે.



એક અન્ય મામલે મંત્રિમંડળે 285 કરોડ રૂપિયાની મરાઠાવાડ જળ ગ્રિડ પરિયોજનાના પહેલા ચરણને સ્વીકૃતિ આપી છે. આ પરિયોજના ઔરંગાબાદ જિલ્લાના પૈઠણ તાલુકામાં જયકવાડી બંધથી શરૂ થશે. આમાં ઔરંગાબાગ જિલ્લા અને મરાઠવાડા અંચલના અન્ય તાલુકાને જલ ઉપલબ્ધતાને આધારે જળ ઉપલબ્ધતાને આધારે આ પરિયોજનામાં જોડવા માટે પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજ્યનું જળ સંસાધન વિભાગ પશ્ચિમ-પ્રવાહી નદીઓના પ્રવાગને વાળીને ગોદાવરી ઘાટીમાં પહોંચાડવાની શક્યતાનું પણ અધ્યયન કરી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2021 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK