આ માટે આજે રાતે ૧૧ વાગ્યાથી આવતી કાલે સવારે ૬ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ નાહુર રેલવે-બ્રિજ પર ગર્ડર બેસાડવાનું કામ આજથી શરૂ કરવામાં આવશે. આથી આજે રાતના ૧૧ વાગ્યાથી આવતી કાલે સવારના ૬ વાગ્યા દરમ્યાન અહીં વાહનોની અવરજવર બંધ રહેશે.
મુલુંડ વિસ્તારના સંસદસભ્ય મનોજ કોટકે જણાવ્યું હતું કે ‘નાહુર રેલવે-બ્રિજનું કામ કરવા માટે રેલવે અને બીએમસીના બ્રિજ વિભાગમાં સતત ફૉલો-અપ કરવામાં આવ્યું હતું. આથી નાહુર રેલવે-બ્રિજ પર ગર્ડર બેસાડવાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે. આશા છે કે આ રેલવે ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂરું થશે. આ કામને લીધે આ બ્રિજ પર આ સમય દરમ્યાન વાહનોની અવરજર બંધ રાખવામાં આવશે.’