Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેમ અને જ્વેલરીના ઉત્પાદનની પ્રવૃત્તિ કોરોનાનાં ઇમર્જન્સી પગલાંમાંથી બાકાત

જેમ અને જ્વેલરીના ઉત્પાદનની પ્રવૃત્તિ કોરોનાનાં ઇમર્જન્સી પગલાંમાંથી બાકાત

11 April, 2021 10:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ એમ કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાવાઇરસના પ્રસારને રોકવા રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ અને વીક-એન્ડ લૉકડાઉન દરમ્યાન ઉત્પાદન એકમોને કામ કરનારા લોકોની મર્યાદિત સંખ્યા તેમ જ અન્ય પ્રતિબંધોનું પાલન કરતાં નિકાસ કામકાજ ચાલુ રાખવાની પરવાનગી આપી હોવાનું ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે ગઈ કાલે જણાવ્યું હતું. જેમ ઍન્ડ જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ ઉત્પાદન અને એને સંબંધિત પ્રવૃત્તિઓને બાકાત રાખવામાં આવશે એમ કહ્યું હતું. મીટિંગમાં રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના મુખ્ય સચિવ અસીમ ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી કામકાજ શિફ્ટમાં કરી શકાય છે જેમ અને જ્વેલરી ઉત્પાદન અને એને સંલગ્ન પ્રવૃત્તિઓને નાઇટ કરફ્યુ તેમ જ દિવસ દરમ્યાન તેમ જ વીક-એન્ડમાં લોકોની અવરજવર પરના પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK